શ્રી દર્ભવતી તીર્થ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં સ્થિત એક પ્રાચીન જૈન તીર્થ સ્થાન છે. આ મંદિરના ભોંયરામાં ભગવાન લોઢાણા પાર્શ્વનાથની 120 સે.મી. ઊંચી, કાળી રંગની મૂર્તિ અર્ધ – પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ રેતીની બનેલી કલાત્મક મૂર્તિ જોવામાં ખૂબ પ્રાચીન લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મૂર્તિ છે જે આ મોટા કિલ્લાના નવીનીકરણ સમયે રાજા વિરધવલના સલાહકાર તેજપાલ દ્વારા ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવી હતી. અહીં દર્શનાર્થીઓ માટે ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
શ્રી દર્ભવતી તીર્થ.
246
previous post
