Site icon

Shri Krishna : ભગવાન કૃષ્ણએ કેમ અને ક્યારે તોડી હતી તેમની પ્રિય વાંસળી? જાણો તેની પાછળનું કારણ

Shri Krishna : ભગવાન કૃષ્ણને વાંસળી વગાડવાનો ખૂબ જ શોખ હતો. નાનપણથી જ તેઓ ઘણી લીલાઓ કરતા આવ્યા છે. માન્યતાઓ અનુસાર, એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણને તેમની વાંસળી ખૂબ જ પ્રિય હતી

Shri Krishna : Know Why lord Krishna broke his flute and how Radha died?

ભગવાન કૃષ્ણએ કેમ અને ક્યારે તોડી હતી તેમની પ્રિય વાંસળી? જાણો તેની પાછળનું કારણ

News Continuous Bureau | Mumbai 

Shri Krishna : ભગવાન કૃષ્ણને વાંસળી વગાડવાનો ખૂબ જ શોખ હતો. નાનપણથી જ તેઓ ઘણી લીલાઓ કરતા આવ્યા છે. માન્યતાઓ અનુસાર, એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણને તેમની વાંસળી ખૂબ જ પ્રિય હતી. કૃષ્ણજીની વાંસળીનું નામ મહાનંદા અથવા સંમોહિની હતું. આ વાંસળી તેમને ભગવાન શિવ તરફથી ભેટ તરીકે મળી હતી.

Join Our WhatsApp Community

ભગવાન શિવે તેને મહર્ષિ દધીચીના હાડકામાંથી બનાવી હતી. ભક્તો ભગવાન કૃષ્ણની ઘણી લીલાઓ વિશે જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હોવા છતાં, તેમને પોતાની વાંસળી તોડી દીધી હતી? તો ચાલો આજે જાણીએ કે તેમણે તેમની વાંસળી ક્યારે અને શા માટે તોડી હતી.

આ સમાચાર પણ વાંચો : રસોડામાં રાખેલા આ 5 મસાલા, કરે છે દવાનું કામ, ચપટી ખાધા પછી ડાઉન થઈ જાય છે બ્લડ શુગર

શ્રી કૃષ્ણે વાંસળી કેમ તોડી હતી

ભગવાન કૃષ્ણ કંસનો વધ કર્યા પછી પાછા દ્વારકામાં અવાઈને વસી ગયા હતા. શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે વિવાહ કરી લીધા હતા. રુકમણીએ પોતાનો પત્ની ધર્મ ખૂબ જ સારી રીતે ભજવ્યો હતો. ભગવાન કૃષ્ણના મનમાં ઘણી વખત રાધા વિશે વિચાર આવતા હતા. રાધા પોતાની અંતિમ ક્ષણોમાં કૃષ્ણને મળવા આવી હતી. જ્યારે કૃષ્ણે રાધાને કંઈક માંગવાનું કહ્યું ત્યારે રાધાએ તેમને વાંસળી વગાડવાનું કહ્યું હતું. એવામાં રાધાએ પોતાની અંતિમ ક્ષણોમાં શ્રીકૃષ્ણની વાંસળી સાંભળતા-સાંભળતા જ પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા હતા. ભગવાન કૃષ્ણ રાધાને ખૂબ પ્રેમ કરતા હતા. એવામાં રાધાએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યા પછી, શ્રી કૃષ્ણએ રાધાના વિયોગમાં પોતાની વાંસળી તોડી નાખી હતી.

રાધા વિના ન વગાડી વાંસળી

શ્રી કૃષ્ણ જ્યારે રાધા રાણીથી અલગ થઈ ગયા હતા ત્યારે પણ તેમણે વાંસળી વગાડવાનું છોડી દીધું હતું. ભગવાન કૃષ્ણએ રાધા વિના વાંસળી વગાડી ન હતી. તેઓ હંમેશા વાંસળી પોતાની પાસે રાખતા હતા પણ વગાડતા ન હતા. માતા દેવકીની વિનંતી પછી પણ તેમણે વાંસળી વગાડી ન હતી. ઉદ્ધવે વાંસળીને એક સામાન્ય વાદ્ય પણ કહી દીધું હતું, પરંતુ શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી ન હતી.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Grahan 2026: વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા! અધૂરા કાર્યો પૂરા થશે અને વ્યવસાયમાં મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja Vidhi: ઘરમાં શનિદેવની મૂર્તિ કેમ ન રખાય? જાણો શનિપીડાથી મુક્તિ મેળવવા માટેની સાચી પૂજા વિધિ અને નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version