અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને છ લાખ રૂપિયા પાછા મળ્યા, બનાવટી ચેક દ્વારા કરવામાં આવી હતી ઉચાપત.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 સપ્ટેમ્બર 2020 

9 સપ્ટેમ્બરના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેંક ખાતામાંથી છ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ ટ્રસ્ટને છ લાખ રૂપિયા પરત કર્યા હતાં. બેંક મેનેજમેન્ટે રિફંડની માહિતી ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને આપી હતી. ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી મુજબ નકલી ચેક અને બનાવટી સહીઓ કરીને શ્રી રામ મંદિર ટ્રસ્ટના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાઈ હતી. પરંતુ હવે બેંકે ટ્રસ્ટ ખાતામાં 6 લાખ રૂપિયા પરત જમા કરાવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ બેંક પ્રશાસનનો આભાર માન્યો છે.

'હવે ચેકને બદલે આરટીજીએસથી થશે વ્યવહારો'

બેંક ખાતાનું સંચાલન કરનાર ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ખાતામાંથી ઉપાડેલી આખી રકમ ટ્રસ્ટમાં પરત આવી ગઈ છે. આ ટ્રસ્ટના ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) માં ત્રણ ખાતા છે. રામભક્તો દ્વારા મળતી દાનની રકમ બેંકના વર્તમાન અને અન્ય બચત ખાતામાં જમા થઈ શકશે. ત્રીજું એકાઉન્ટ ચુકવણી માટેનું છે. આમાં ટ્રસ્ટને ચૂકવણી કરવા માટે જ પૈસા જમા કરાવી શકાય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે શ્રી રામ જન્મભુમિ ટ્રસ્ટ એ નક્કી કર્યું છે કે તમામ વ્યવહારો ચેકની જગ્યાએ આરટીજીએસથી જ તમામ ચુકવણી કરવામાં આવશે.

'9 સપ્ટેમ્બરના રોજ, નકલી ચેકથી ઉપાડવામાં આવી હતી રામ મંદિરની રકમ' 

એસબીઆઈ દ્વારા પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા પાસેથી હજી રકમ મળવાનીબાકી છે. એસબીઆઇએ આ બંને બેંકોના અધિકારીઓને નાણાં પરત કરવા પત્ર લખ્યો છે. લખનૌમાં પી.એન.બી. અને બેંક ઓફ બરોડામાંથી નકલી ચેક દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ છેતરપિંડી કરવામાં આવી હતી. આ પૈસા રામ મંદિર ટ્રસ્ટના ખાતામાંથી કાઢવામાં આવ્યા હતા. જ્યારે છેતરપિંડી કરનારએ ત્રીજી વખત ખાતામાંથી 9 લાખ 86 હજાર રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્ટેટ બેંકે સાવચેતીપૂર્વક આ નકલી ચેકની  ચાલ પકડી પાડી હતી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More