Site icon News Continuous Bureau | Mumbai

રામકથાકાર મોરારીબાપુએ વહેવડાવ્યો દાનનો ધોધ. રામ મંદીર માટે અધધધ.. આટલા કરોડ અપાવ્યા. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

18 જાન્યુઆરી 2021

સદીઓ બાદ અયોધ્યામાં બની રહેલાં રામ મંદિર માટે દાનનો ધોધ વહી રહ્યો છે. જેમાં રામ કથાકાર મોરારીબાપુ પહેલાં જ 11 કરોડનું દાન આપી ચૂક્યાં છે અને હવે વધુ 7 કરોડનું દાન આપવા જઈ રહયાં છે. રામ મંદિર સમીતિએ  વિદેશમાંથી દાન લેવા માટે જરૂરી પ્રમાણપત્ર માટે ભારત સરકાર પાસે મંજૂરી માંગી છે. આ પ્રમાણપત્ર આવી ગયા બાદ જ આ વિદેશી રકમ દાન કરી શકાશે. 

આમ મોરારીબાપુ દ્વારા અત્યાર સુધી કુલ 19 કરોડનો ફાળો એકત્ર કરાયો છે અને હજુ વધુ રકમ ઉઘરાવવામાં આવી રહી છે. જેથી મંદિરના નિર્માણ માટે તમામ લોકો સહયોગ આપી શકે. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર અનુદાન માટે મોરારીબાપુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે દરેક વ્યક્તિ યોગદાન આપે.        

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 જાન્યુઆરીથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધી સંગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ચાલશે. અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામોમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરાશે. તેમની પાસેથી સન્માનિત રાશિ એકત્રિત કરવામાં આવી રહી છે.

Shani Uday 2026| શનિ ઉદયના પ્રભાવ હેઠળ આ ૫ રાશિઓ ૧ મહિના સુધી રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Exit mobile version