Surya Grahan 2025: સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે સૂર્ય ગ્રહણ, જાણો તે દિવસે શું રાખવું ધ્યાન

Surya Grahan 2025: 21 સપ્ટેમ્બરના દિવસે લાગનાર આ ગ્રહણ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે

by Zalak Parikh
Surya Grahan 2025: Solar Eclipse to Occur on Sarva Pitru Amavasya

News Continuous Bureau | Mumbai

Surya Grahan 2025: આ વર્ષે પિતૃપક્ષ ની શરૂઆત અને સમાપન બંને ગ્રહણ સાથે થવા જઈ રહી છે. 21 સપ્ટેમ્બર, રવિવારના દિવસે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણ રાત્રિના સમયે લાગશે અને ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં ગ્રહણના સૂતક કાળ લાગુ નહીં થશે.

સૂર્ય ગ્રહણ ક્યારે લાગશે અને કેટલો સમય રહેશે?

આ ગ્રહણ રાત્રે 10:59 વાગ્યે શરૂ થશે અને રાત્રે 03:23 વાગ્યે પૂર્ણ થશે. કુલ 4 કલાક 24 મિનિટ સુધી ચાલનાર આ ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે. કારણ કે તે રાત્રે લાગશે, ભારતના કોઈ પણ ભાગમાં દેખાશે નહીં.આ સૂર્ય ગ્રહણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ફીજી, એટલાન્ટિક મહાસાગર અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં દેખાશે. આ સ્થળોએ ગ્રહણના સૂતક કાળ લાગુ પડશે અને ધાર્મિક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

આ સમાચાર પણ વાંચો : Pitrupaksh 2025: પિતૃપક્ષ માં શા માટે મનાવવામાં આવે છે કુંવારા પંચમી, માતૃનવમી અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ

ગ્રહણ દરમિયાન શું ધ્યાન રાખવું?

સૂર્ય ગ્રહણ દરમિયાન સીધા સૂર્યને નરી આંખે જોવું હાનિકારક હોઈ શકે છે. સૂર્ય ના કિરણો ખૂબ તીવ્ર હોય છે, જે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ગ્રહણ જોવાનું હોય તો ખાસ સૂર્ય ગ્રહણ ચશ્મા  અથવા ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More