તમારા ઘરની દીવાલ પર આ રીતે કરોળિયા નું દેખાવું એ નોકરીમાં મોટી પ્રગતિ નો છે સંકેત- જાણો બીજા સંકેત વિશે જે તમારું ભાગ્ય બદલી નાખશે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

વાસ્તુશાસ્ત્રમાં(Vastushastra)આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી શકે છે. એટલે કે, એવા કેટલાક સંકેતો છે જે તમને તમારા ભવિષ્ય વિશે અગાઉથી ચેતવણી આપે છે. આ ચિહ્નો ઘણી રીતે જોવા મળે છે, જેમ કે ઘરની બહાર નીકળતાની સાથે જ અમુક વસ્તુઓ જોવી, સવારે જોયેલું સ્વપ્ન કે શરીર પર કરોળિયા-ગરોળીનું પડવું, ઘરમાં કોઈ જીવનું વિચિત્ર વર્તન વગેરે. આજે અમે તમને કરોળિયા(spider) સાથે જોડાયેલા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે.

1. જો કે ઘરમાં કરોળિયો હોવો અથવા ઘરમાં કરોળિયાના જાળા હોવાને અશુભ માનવામાં આવે છે આ ઘરમાં સ્વચ્છતાના અભાવની નિશાની છે, પરંતુ તેનાથી વિપરીત, એક અદ્ભુત વાત એ છે કે કરોળિયાના (spider on body)શરીર પર ચડવું સારું માનવામાં આવે છે.

2. એવું માનવામાં આવે છે કે શરીર પર કરોળિયાનું પડવું નવા કપડાં (new cloths)મેળવવાનો સંકેત આપે છે.

3. આ સિવાય જો તમે તમારા ઘરમાં નીચેથી ઉપર સુધી દીવાલ પર ચડતો કરોળિયો (climb spider)જોશો તો તે તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો તમે દીવાલ પર નીચેથી ઉપર ચડતો કરોળિયો જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ મળશે.

4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કરોળિયાનું જાળું હોવું સારું નથી, પરંતુ જો કોઈ સ્વચ્છ ઘરમાં પણ કોઈ કરોળિયો જાળું બનાવતો જોવા મળે અને તમને તે જાળામાં તમારા નામના અક્ષર કે હસ્તાક્ષર(signature) જેવો આકાર દેખાય તો. તે નસીબ ખુલવાની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ મોટી સફળતા અથવા મોટો ફાયદો મળવાનો છે.

આ સમાચાર પણ વાંચો : રસ્તા પર પડેલા પૈસા બદલી શકે છે તમારી કિસ્મત- જાણો આ પૈસા મળવા એ શુભ સંકેત છે કે અશુભ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More