Site icon

વાસ્તુ ટિપ્સ- ધન માટે મની પ્લાન્ટ કરતાં વધુ ફાયદાકારક છે આ છોડ-વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવામાં આવે તો મળશે શુભ ફળ

News Continuous Bureau | Mumbai

વાસ્તુશાસ્ત્રમાં ધન માટે ઘણી વસ્તુઓને શુભ માનવામાં આવે છે. છોડ અને વૃક્ષોની વાત કરીએ તો ઘણા લોકો જાણે છે કે મની પ્લાન્ટ(plant) ઘરમાં નફો વધારે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ સિવાય પણ કેટલાક છોડ એવા છે જે ઘરમાં ધન અને સકારાત્મક ઉર્જા(positive vibes) આકર્ષિત કરે છે.ઘણા લોકો ઘરની આર્થિક તંગીથી પરેશાન છે. કેટલાક લોકો પાસે મહેનત કર્યા પછી પણ પૈસા નથી હોતા. વાસ્તુશાસ્ત્રમાં આનું કારણ વાસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને તેના કારણે આવી ઘટનાઓ બનવા લાગે છે. તેની સાથે ઘરના લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

Join Our WhatsApp Community

વાસ્તુશાસ્ત્રમાં ક્રાસુલા છોડને(krasula plant) ખૂબ જ ચમત્કારિક છોડ માનવામાં આવે છે. જ્યારે આ છોડ ઘરમાં લગાવવામાં આવે છે, ત્યારે સકારાત્મક ઉર્જા અને પૈસા બંને ઘર તરફ આકર્ષિત થાય છે. ઘર સિવાય તમે આ છોડને તમારી ઓફિસ, દુકાન કે કાર્યસ્થળ પર પણ લગાવી શકો છો. ચાલો જાણીએ ક્રાસુલા છોડના ફાયદા અને તેને રોપવાની સાચી દિશા-

ક્રાસુલા પ્લાન્ટના ફાયદા

– ક્રાસુલા છોડને જેડ ટ્રી, લકી ટ્રી અને મની ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

– ક્રાસુલા છોડ સકારાત્મક ઉર્જા (positive)આકર્ષે છે.

– કાર્યસ્થળ(office) પર આ છોડ લગાવવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ વધે છે.

– વાસ્તુશાસ્ત્રમાં આ છોડને પૈસા આકર્ષવા માટે કહેવામાં આવ્યું છે. આ છોડને સંપત્તિનું(money) પ્રતીક માનવામાં આવે છે.

– ક્રાસુલા છોડ સંપત્તિના સંચયને પ્રોત્સાહન આપે છે અને સંપત્તિમાં વધારો કરે છે.

આ સમાચાર પણ વાંચો :  વાસ્તુ ટિપ્સ- ઘરની આ દિશામાં કરો કાળો રંગ- ખુલી જશે પ્રગતિના માર્ગ

ક્રાસુલા છોડ રોપવા માટેની સાચી દિશા

– ક્રાસુલાના છોડને યોગ્ય દિશામાં લગાવવાથી શુભ ફળ મળે છે અને ભાગ્યની (lucky)પ્રાપ્તિ થાય છે.

– તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની(main gate) જમણી બાજુએ ક્રાસુલાનો છોડ લગાવી શકો છો.

– તમે આ છોડ(balcony) ક્રાસુલાનો છોડ લગાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

– આ છોડને દક્ષિણ દિશામાં લગાવવાનું ટાળો. ક્રાસુલાને દક્ષિણ દિશામાં રાખવાથી ધનહાનિ થાય છે.

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

 

Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Today’s Horoscope : આજનો દિવસ:૮ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version