Site icon

આજે હનુમાન જયંતિ પર બની રહ્યો છે ખાસ યોગ, રાશિ પ્રમાણે બજરંગ બલી ને અર્પણ કરો આ વસ્તુઓનો ભોગ, દૂર થશે બધી પરેશાનીઓ

News Continuous Bureau | Mumbai 

ચૈત્ર મહિનાની પૂનમે દર વર્ષે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આ વખતે તે તારીખ 16 એપ્રિલ છે. આ દિવસે મા અંજનીના કોખથી રામભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ વખતે હનુમાન જયંતી શનિવારના છે, આ કારણથી આ દિવસને વધારે ખાસ માનવામાં આવી રહ્યો છે. મંગળવાર અને શનિવારે જ્યારે હનુમાન જયંતી હોય છે ત્યારે તેનું મહત્વ વધારે હોય છે. આ કારણથી આ વખતે હનુમાન જયંતી શનિદેવને પ્રસન્ન કરવાની રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

તમારી રાશિ પ્રમાણે ભગવાન હનુમાનજીને ભોગ ચઢાવો

મેષ – આ રાશિના લોકોએ હનુમાનજીને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.

વૃષભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર તુલસીના બીજ અર્પણ કરવા જોઈએ.

મિથુન – આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરતી વખતે તુલસીના પાન ચઢાવવા જોઈએ.

કર્ક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાંથી બનાવેલ ચણાના લોટની ખીર અર્પણ કરવી જોઈએ.

સિંહ – આ રાશિના લોકોએ હનુમાનજીને જલેબી ચઢાવવી જોઈએ.

કન્યા – આ રાશિના લોકોએ ભગવાનને ચાંદીના વર્કવાળી મિઠાઈ અર્પણ કરવી જોઈએ.

તુલા – આ રાશિના જાતકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.

વૃશ્ચિક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાં બનેલા ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.

ધન – આ રાશિના લોકો માટે હનુમાન જયંતિ પર લાડુ અને તુલસીના પાન ચઢાવવા જોઈએ.

મકર – આ રાશિના લોકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.

કુંભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર લાલ કપડા અને લાડુ ચઢાવવા જોઈએ.

મીન – આ રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે પવનપુત્રને લવિંગ અર્પણ કરવું જોઈએ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Exit mobile version