News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૮ જુલાઈ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – અષાઢ સુદ તેરસ
“દિન મહીમા”
જયાપાર્વતી વ્રત આરંભ, વિછુંડો ઉતરે ર૭:૧૬, ભૌમ પ્રદોષ વ્રત, રવિયોગ ૨૭:૧૬થી, ગુરૂનો ઉદય પૂર્વમાં
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૦૮ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૪૦
“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૭.૧૪)
આજે જન્મેલા બાળકની રાશી ૯ જુલાઈ, સવારે ૩.૧૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.
“નક્ષત્ર” – જયેષ્ઠા
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૧૪)
૯ જુલાઈ, સવારે ૩.૧૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૬ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
ચલઃ ૨૬.૦૫ – ૨૭.૨૬
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .
“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .
“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)