News Continuous Bureau | Mumbai
Trigrahi Yog 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 15 જૂન 2025થી મિથુન રાશીમાં સૂર્ય, બુધ અને ગુરુ એકસાથે આવી રહ્યા છે, જેના કારણે ત્રિગ્રહી યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગ 12 વર્ષ પછી બનતો હોય છે અને આ વખતે તે પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ યોગથી નસીબ સાથ આપશે, સંપત્તિમાં વધારો થશે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.
વૃષભ અને મિથુન રાશિ ના જાતકો માટે શુભ
વૃષભ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ બીજા ઘરમાં બની રહ્યો છે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને વાણી દ્વારા લોકોના દિલ જીતી શકશો. નોકરી અને વ્યવસાયમાં નફાની તકો મળશે.મિથુન રાશિમાં જ ત્રિગ્રહી યોગ સર્જાઈ રહ્યો છે. સૂર્ય, બુધ અને ગુરુની યુતિથી નસીબ સાથ આપશે. કારકિર્દીમાં મોટી સફળતા, વડીલોની મિલકતનો લાભ અને માન-સન્માન મળશે. નિર્ણય ક્ષમતા પણ મજબૂત બનશે.
આ સમાચાર પણ વાંચો : Bada Mangal 2025: આજે છે જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર, જાણો પૂજન વિધી અને શુભ મુહૂર્ત
તુલા, ધનુ અને કુંભ રાશિ: આધ્યાત્મિકતા, સંબંધો અને સફળતા
તુલા રાશિના લોકો માટે ભાગ્યસ્થાનમાં યોગ બનશે, જેના કારણે આધ્યાત્મિક યાત્રા અને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. ધનુ રાશિના લોકો માટે લગ્નજીવનમાં સુખ અને ભાગીદારીના વ્યવસાયમાં લાભ થશે. કુંભ રાશિના લોકો માટે આ યોગ પાંચમા ઘરમાં બનશે, જેનાથી બાળકો તરફથી ખુશખબરી અને કારકિર્દીમાં સફળતા મળશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)