ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે, દંતકથા કહે છે કે ભગવાન શિવના નટરાજ નૃત્ય દરમિયાન સતીના ડાબા પગની નાની આંગળી અહીં પડી હતી. અહીં શક્તિને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની બે સમાન પરંતુ વિવિધ કદની કાળા પથ્થરની મૂર્તિઓ હાજર છે. 5 ફૂટ ઊંચાઇની મોટી અને વધુ અગ્રણી મૂર્તિ દેવી ત્રિપુરા સુંદરિની છે અને નાની, જેને શાબ્દિક રીતે, નાની માતા કહેવામાં આવે છે, તે 2 ફૂટ ઊંચી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે, મંદિરની નજીક એક પ્રખ્યાત મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે.
ત્રિપુરા સુંદરી મંદિર
