Site icon

ત્રિપુરા સુંદરી મંદિર

ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે, દંતકથા કહે છે કે ભગવાન શિવના નટરાજ નૃત્ય દરમિયાન સતીના ડાબા પગની નાની આંગળી અહીં પડી હતી. અહીં શક્તિને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની બે સમાન પરંતુ વિવિધ કદની કાળા પથ્થરની મૂર્તિઓ હાજર છે. 5 ફૂટ ઊંચાઇની મોટી અને વધુ અગ્રણી મૂર્તિ દેવી ત્રિપુરા સુંદરિની છે અને નાની, જેને શાબ્દિક રીતે, નાની માતા કહેવામાં આવે છે, તે 2 ફૂટ ઊંચી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે, મંદિરની નજીક એક પ્રખ્યાત મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે.

Join Our WhatsApp Community
Mahashivratri 2026: શિવભક્તો માટે મોટી ખુશખબર: મહાશિવરાત્રી પર 4 રાજયોગનો દુર્લભ સંગમ, ભોલેનાથની કૃપાથી આ જાતકોના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Mahakal Bhasm Aarti: મહાકાલની ભસ્મ આરતીનું રહસ્ય: ભગવાન વીરભદ્રની આજ્ઞા પછી જ ખૂલે છે મંદિરના દ્વાર, જાણો બ્રહ્મ મુહૂર્તમાં થતી આ દિવ્ય આરતીના કડક નિયમો
Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય
Exit mobile version