Site icon News Continuous Bureau | Mumbai

Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય

Vijaya Ekadashi Vrat Katha: રાવણ પર વિજય અને સીતાજીને પરત મેળવવા માટે મુનિ બકદાલ્ભ્યની સલાહથી રામચંદ્રજીએ કરી હતી આ એકાદશી, વાજપેય યજ્ઞ જેવું મળે છે ફળ.

Vijaya Ekadashi Vrat Katha How Lord Rama Observed the Fast to Conquer Lanka and Defeat Ravana

Vijaya Ekadashi Vrat Katha How Lord Rama Observed the Fast to Conquer Lanka and Defeat Ravana

News Continuous Bureau | Mumbai

શાસ્ત્રો મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની એકાદશીને ‘વિજયા એકાદશી’ કહેવામાં આવે છે. બ્રહ્માજીએ નારદ મુનિને આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આ એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરનારી છે. ભગવાન શ્રી રામ જ્યારે સીતાજીની શોધમાં હતા અને સમુદ્રના કિનારે પહોંચ્યા, ત્યારે લંકા પર વિજય મેળવવા અને અફાટ સમુદ્ર પાર કરવા માટે તેમણે આ વ્રત વિધિપૂર્વક કર્યું હતું.

Join Our WhatsApp Channel

મુનિ બકદાલ્ભ્યે બતાવી હતી વ્રતની વિધિ

જ્યારે ભગવાન રામ અને વાનર સેના સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે લક્ષ્મણજીએ શ્રી રામને નજીકમાં જ આશ્રમ ધરાવતા મુનિ બકદાલ્ભ્ય પાસે જવાની સલાહ આપી. મુનિએ શ્રી રામને વિજયા એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા આપી અને તેની વિધિ સમજાવતા કહ્યું કે, દશમીના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી. કળશને જળ અને પલ્લવથી ભરી તેના પર ભગવાન નારાયણની પ્રતિમા સ્થાપિત કરવી.

આ સમાચાર પણ વાંચો : UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ 

પૂજન વિધિ અને ઉપવાસ

એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી કળશનું ચંદન, સોપારી અને નાળિયેરથી પૂજન કરવું. કળશ પર સાત ધાન્ય અને જવ રાખવા. આખો દિવસ ભગવાનની કથા સાંભળવી અને રાત્રે જાગરણ કરવું. જો અખંડ વ્રત રાખવું હોય તો ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી તે કળશને કોઈ જળાશય કે નદી પાસે સ્થાપિત કરી તેની પૂજા કરવી અને બ્રાહ્મણને મૂર્તિ સહિત તે કળશનું દાન કરવું.

વ્રતનું ફળ અને મહાત્મ્ય

ભગવાન રામચંદ્રજીએ મુનિના કહેવા મુજબ આ વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેમણે સમુદ્ર પાર કરી રાવણનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. પદ્મપુરાણ મુજબ આ કથા સાંભળવાથી વાજપેય યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. જે ભક્ત આ વિધિથી વ્રત કરે છે, તેને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે વિજયા એકાદશી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઉજવાશે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 સૂર્ય ગોચર એક વર્ષ બાદ સૂર્ય દેવે પોતાની જ રાશિ સિંહમાં કર્યો પ્રવેશ, જાણો આ ગોચર કેમ માનવામાં આવે છે ખાસ?
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version