Site icon News Continuous Bureau | Mumbai

Vastu Tips Diwali: દિવાળી પર આ વસ્તુઓ દેખાવાથી ખુલી જશે વ્યક્તિનું ભાગ્ય- માં લક્ષ્મી ની વરસશે વિશેષ કૃપા

Vastu Tips Diwali: જો દિવાળીના દિવસે રાત્રે ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે

News Continuous Bureau | Mumbai

Vastu Tips Diwali:  હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર(Diwali festival) ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ થાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં(Vastu shastra) કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જેને જાણવી જરૂરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દીપાવલીના દિવસે આવા પ્રાણીઓ જોવા મળે તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. વાસ્તુશાસ્ત્રમાં આ પ્રાણીઓ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે, જેને દિવાળીના દિવસે જોવાનું શુભ માનવામાં આવે છે. ચાલો આ વિષય વિશે જાણીએ.

Join Our WhatsApp Channel

1. ગરોળી 

ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો પર ગરોળી(lizard) દેખાવી સામાન્ય વાત છે. પરંતુ જો દિવાળીના દિવસે રાત્રે ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દેવી લક્ષ્મીની પ્રસન્નતાનું સૂચક માનવામાં આવે છે.

2. બિલાડી નું ઘરે આવવું 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેક બિલાડીની(cat) નજર અશુભ માનવામાં આવે છે. પરંતુ જો દીપાવલીના દિવસે અચાનક ઘરમાં બિલાડી આવી જાય તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે અને વ્યક્તિની કિસ્મત ખુલવા જઈ રહી છે.

3. આ રંગની ગાય દેખાવા થી મળશે લાભ 

જો કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે કેસરી રંગની ગાય(brown cow) જુએ તો તેને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી તમારા માટે આવું બનવું ખૂબ જ સારું રહેશે.

4. ઘુવડ નું દેખાવું 

દિવાળીના દિવસે ઘુવડનું(owl) દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે ઘુવડ લક્ષ્મીજીનું વાહન છે. તેથી, ઘુવડનું દેખાવું  સૂચવે છે કે વ્યક્તિને સંપત્તિ અને ઐશ્વર્ય મળશે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ ધનતેરસના દિવસે આ વસ્તુઓ ની નહીં કરતા ખરીદી – માં લક્ષ્મી ના નહિ મળે આશીર્વાદ

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Navpancham Rajyog 2026 ૧ સપ્ટેમ્બરે શનિગુરુનો મહાસંયોગ રચાશે શક્તિશાળી નવપંચમ રાજયોગ, આ ૩ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version