Site icon News Continuous Bureau | Mumbai

રક્ષાબંધનની સાથે આજે છે નાળીયેરી પૂનમ- જાણો શું છે તેનું મહત્વ

News Continuous Bureau | Mumbai

ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર એટલે રક્ષાબંધન. આજના દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને ભાઈની રક્ષાની મનોકામના કરે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.

Join Our WhatsApp Channel

 આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- હવાઈ મુસાફરી મોંઘી બનશે- કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આપી દીધી આ છૂટ

રક્ષાબંધન ભાઇ-બહેનોના પ્રેમનું મંગલ પર્વ અને સાહસિક દરિયા ખેડૂઓ માટે સમુદ્ર પૂજન નો પ્રસંગ, બ્રાહ્મણોનો યજ્ઞોપવીત બદલવાનો ઉત્સવ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણી પૂર્ણિમા. માછીમારો દરિયાદેવને પ્રસન્ન કરવા શ્રીફળથી સમુદ્ર પૂજન કરે છે તેથી આ પૂનમ ‘નારિયેળી પૂનમ’ તરીકે જગપ્રસિદ્ધ છે. આજના દિવસે દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા સાગરખેડુઓએ નારિયેળી પૂનમની ઉજવણી કરી દરિયા દેવ અને હોડીની પૂજા કરે છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે. પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version