Shani Vakri : શનિની વક્રી ગતિ શું છે, કઈ રાશિઓ માટે તે શુભ અને કોના માટે દુઃખદાયક બનશે..

Shani Vakri : શનિ જૂનના અંતમાં વક્રી ગતિમાં રહેશે. શનિ વક્રી ગતિમાં જઈ અને વિરુદ્ધ દિશામાં જશે, જેનો પ્રભાવ તમામ રાશિઓને પર થશે. જાણો કોના માટે શનિની વક્રી ગતિ રહેશે શુભ અને કોના માટે કષ્ટદાયક.

by Bipin Mewada
What is Shani Vakri, for which zodiac signs it will be auspicious and for which it will be painful..

News Continuous Bureau | Mumbai  

Shani Vakri :  કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ છે . જ્યોતિષશાસ્ત્ર ( Astrology ) અનુસાર, જ્યારે શનિ પોતાની જ રાશિમાં સંક્રમણ કરે છે, અસ્ત થાય છે કે ઉદય પામે છે અથવા વક્રી ગતિ કરી છે, ત્યારે તેની સૌથી વધુ અસર રાશિઓ પર પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ( Saturn ) સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. પરંતુ, જ્યારે શનિ વક્રી ગતિમાં હોય છે, ત્યારે તે ઘણી રાશિઓને અસર કરે છે. કારણ કે શનિની વક્રતા શુભ માનવામાં આવતી નથી. પરંતુ જરૂરી નથી કે શનિ દરેક માટે અશુભ જ હોય. આ દરમિયાન શનિ કેટલીક રાશિઓ ( Zodiacs ) માટે શુભ પણ રહેશે. 

Shani Vakri : શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન  છે. તેથી, 29 જૂને, તે આ જ રાશિમાં એટલે કે કુંભ રાશિમાં વક્રી કરશે…

શનિ હાલમાં કુંભ રાશિમાં ( Aquarius ) વિરાજમાન  છે. તેથી, 29 જૂને, તે આ જ રાશિમાં એટલે કે કુંભ રાશિમાં વક્રી કરશે. 29 જૂને રાત્રે 11:40 વાગ્યે શનિ વક્રી ગતિમાં જશે. કુંભ રાશિ પર આની સૌથી વધુ અસર પડશે. તો ચાલો જાણીએ કે શનિ કઈ રાશિઓ માટે શુભ રહેશે અને કઈ રાશિઓ માટે અશુભ રહેશે. 

જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહની વક્રી ગતિ એ જન્માક્ષર અથવા રાશિમાં તે ગ્રહની વિપરીત ગતિ સૂચવે છે. જે અશુભ માનવામાં આવે છે. જ્યારે શનિ કોઈ રાશિમાં વક્રી ગતિ તરફ જાય છે, ત્યારે તે રાશિના લોકો માટે જ મુશ્કેલી પેદા થાય છે. 

આ સમાચાર  પણ વાંચો : Indian Army: કારગિલ વિજયની રજત જયંતી નિમિત્તે શુરવીરોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા મોટર સાઇકલ રેલીનું આયોજન

Shani Vakri : શનિ હાલમાં કુંભ રાશિમાં રહે છે. તેથી, મકર, કુંભ અને મીન રાશિઓ હાલ સાડેસાતીથી પ્રભાવિત છે…

સાથે જ જે રાશિમાં શનિ વક્રી થઈ રહ્યો છે તે રાશિના જાતકોને સાડાસાતી અથવા ઢૈય્યાનો સામનો કરવો પડે છે. કારણ કે આ અવસ્થામાં શનિના દ્રષ્ટિનો પ્રભાવ પડે છે. 

શનિ હાલમાં કુંભ રાશિમાં છે. તેથી, મકર, કુંભ અને મીન રાશિઓ હાલ સાડેસાતીથી પ્રભાવિત છે. તેથી કુંભ રાશિમાં સાડાસાતીનો ( Sade Sati )  બીજો તબક્કો, મકર રાશિમાં છેલ્લો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો શરૂ થશે. આ રાશિના લોકોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાથે જ શનિ કર્ક અને વૃશ્ચિક રાશિમાં ઢૈય્યા ચાલુ છે. આથી આ રાશિ પર શનિના વક્રિ ગતિની અસર પડશે. 

તેથી, શનિની વક્રિ ગતિના આ સમય દરમિયાન સિંહ અને ધનુ રાશિને આની અસર થશે નહીં. આ રાશિના લોકોને મહેનતનું ફળ મળશે. 

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More