Brahma Muhurat Importance: ક્યારે બેસે છે જીભ પર માતા સરસ્વતી? બ્રહ્મ મુહૂર્તમાં કરો આ ૩ શુભ કામ, બુદ્ધિ અને વાણીમાં થશે ચમત્કારિક સુધારો!

Brahma Muhurat Importance: શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતી (Saraswati) જીભ પર બેસે છે, આ સમયે બોલેલી વાતો સાચી સાબિત થાય છે

by Zalak Parikh
When Does Goddess Saraswati Sit on the Tongue? Do These 3 Things During Brahma Muhurat

News Continuous Bureau | Mumbai

Brahma Muhurat Importance: હિંદુ ધર્મમાં માન્યતા છે કે દિવસમાં એક વખત માતા સરસ્વતી આપણા જીભ પર બેસે છે. આ સમય છે બ્રહ્મ મુહૂર્ત, જે સૂર્યોદયથી લગભગ 1.5 કલાક પહેલાં શરૂ થાય છે — સામાન્ય રીતે સવારે 3:30 થી 5:30 વચ્ચે. આ પવિત્ર સમય દરમિયાન બોલેલી દરેક વાતમાં શક્તિ હોય છે અને તે સાચી સાબિત થઈ શકે છે.

બ્રહ્મ મુહૂર્તમાં શું ખાસ છે?

બ્રહ્મ મુહૂર્ત એ આધ્યાત્મિક રીતે સૌથી પવિત્ર સમય ગણાય છે. આ સમયે મન શાંત અને ચેતનામાં હોય છે. શાસ્ત્રો અનુસાર, આ સમય દરમિયાન માતા સરસ્વતી જીભ પર બેસે છે અને બોલેલી વાતો અસરકારક બને છે. તેથી આ સમયે માત્ર સકારાત્મક અને શુભ વાતો જ કરવી જોઈએ. આ સમય દરમિયાન કોઈને દુઃખ પહોંચાડતી કે નકારાત્મક વાતો ટાળવી જોઈએ. જો તમે સકારાત્મક વાતો કરો તો તે તમારા જીવનમાં શુભ પરિણામ લાવે છે. લોકો કહે છે કે “ત્યારે તારી જીભ પર સરસ્વતી બેસેલી હતી” — એટલે કે બોલેલી વાત સાચી થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો : Budh Gochar: 20 નવેમ્બર સુધી શનિના અનુરાધા નક્ષત્રમાં રહેશે બુધ, આ 3 રાશિઓ માટે આવશે શુભ સમય

આ 3 કામ જરૂર કરો બ્રહ્મ મુહૂર્તમાં

  1. ઈષ્ટદેવનું સ્મરણ: સવારે ઉઠીને મનથી ભગવાનનું સ્મરણ કરો
  2. ધ્યાન અને યોગ: બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મન અને શરીર બંનેને શાંતિ મળે
  3. મંત્ર જાપ: આ સમય મંત્રોનો જાપ કરવા માટે શ્રેષ્ઠ છે, જે આધ્યાત્મિક શક્તિ આપે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More