આજે નવરાત્રીનું સાતમું નોરતું, માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

23 ઓક્ટોબર 2020

આજે નવરાત્રીનું સાતમુ નોરતું છે. નવરાત્રીના સાતમા નોરતે મહા સપ્તમી પર માતા દુર્ગાના સાતમા સ્વરૂપ કાળરાત્રિ ની પૂજા કરવામાં આવે છે. શક્તિનું આ સ્વરૂપ દુશ્મનો અને અનિષ્ટનો નાશ કરનાર છે. એવું માનવામાં આવે છે કે મા કાળરાત્રિ એ દેવી છે જેણે શુંભ-નિશુંભ જેવા રાક્ષસોનો વધ કર્યો હતો. શાસ્ત્રો અનુસાર કાળરાત્રિ દેવીનો દેખાવ ખૂબ ભયંકર છે. કાળરાત્રિ દેવીનું આ ભયાનક સ્વરૂપ પાપીઓને નષ્ટ કરવા માટે જ છે. મા કાળરાત્રિ હંમેશાં તેના ભક્તોને શુભ ફળ આપે છે. આ કારણોસર, તેઓ શુભંકરી પણ કહેવામાં આવે છે.

શાસ્ત્રોમાં દેવી કાળરાત્રિને ત્રિનેત્રી કહેવામાં આવી છે.  મા કાળરાત્રિનો રંગ ઘોર અંધકારની જેમ કાળો છે. માથાના વાળ વિખરેલા છે. તેમના ગળામાં વીજળીની જેમ ચમકતી માળા છે. તેમને ત્રણ નેત્ર છે. આ ત્રણ નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે.  તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડો) છે. તેમના જમણા હાથની વરમુદ્રા દરેકને વર પ્રદાન કરે છે. જમણી તરફ નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફ ઉપરના હાથમાં લોહઅસ્ત્ર અને નીચેના હાથમાં તલવાર છે. 

પૂજન મંત્ર-

जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते।।

 

ઉપાસના મંત્ર-

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥

 એવું મનાય છે કે, આ દિવસે ઉપાસકનું મન ‘સહસ્ત્રાર’ ચક્રમાં સ્થિત રહે છે અને સહસ્ત્રાર ચક્રમાં ઉપાસકનું મન પૂર્ણરૂપથી મા કાળરાત્રિના સ્વરૂપમાં લાગેલું હોય છે. તેનાથી ઉપાસકના તમામ પાપનો વિનાશ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More