હે રામ! આ વાનર છે ‘કલુઆ’, જામીન નામંજૂર થશે તો આજીવન કેદ થશે, જાણો તેની ભયાનક કહાની

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

‘કલુઆ’ એ જેલવાસ (Jail) ના 5 વર્ષ પૂરા કર્યા છે પરંતુ તેના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. આ કારણે તેને છોડવામાં આવશે નહીં. આજીવન કેદ અકબંધ રહેશે. તમે મિર્ઝાપુર વેબ સિરીઝમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાની ઘણી વાર્તાઓ જોઈ હશે, પરંતુ તમે મિર્ઝાપુરના ‘કલુઆ’ ભૈયાની વાર્તાથી અજાણ હશો. ‘કલુઆ’ (Kalua) માનવ નહીં પરંતુ વાનર (monkey) છે, જેણે મિર્ઝાપુરમાં આતંક મચાવ્યો હતો. આતંક એટલો હતો કે મહિલાઓ અને બાળકો તેના નામથી ગભરાઈ જતા હતા.

મિર્ઝાપુરમાં 5 વર્ષ પહેલા એક વાંદરાએ ભારે આતંક મચાવ્યો હતો. તેણે લગભગ 250 મહિલાઓ અને બાળકોને નિશાન બનાવીને ગંભીર રીતે ઘાયલ કર્યા, ત્યારબાદ કાનપુર ઝૂઓલોજિકલ પાર્કના પશુચિકિત્સક ડૉ. મોહમ્મદ નાસિરે તેને મિર્ઝાપુરથી પકડી લીધો. વન વિભાગે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કાનપુર પ્રાણીસંગ્રહાલયમાં ઘણા તોફાની વાંદરાઓ બંધ છે, જે હવે મુક્ત થવા માટે તૈયાર છે, પરંતુ ‘કલુઆ’ને બિલકુલ છોડવામાં આવશે નહીં કારણ કે તેની પ્રકૃતિમાં સુધારો થયો નથી. તે હજુ પણ આક્રમક છે.

આ સમાચાર પણ વાંચો:  શું બીસ્લેરી કંપનીને ટાટાએ ખરીદી લીધી? આટલી કિંમતે થયો સોદો. ચર્ચાનું બજાર ગરમ.

‘કલુઆ’ કેટલો ખતરનાક છે અને શા માટે?

વન વિભાગના લોકો જણાવે છે કે કાલિયા મહિલાઓને જોઈને વિવિધ અભદ્ર ઈશારા કરે છે અને બડબડ કરવા લાગે છે. તેને બંદીવાસમાં 5 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં તે હુમલો કરવા દોડે છે, જેના કારણે તેને ગેટની બહાર લઈ જઈ શકાતો નથી. ડો. નાસિરે જણાવ્યું કે ‘કલુઆ’નો ઉછેર એક તાંત્રિક દ્વારા થયો હતો. તે તેને ખાવા માટે માંસ અને પીવા માટે દારૂ આપતો હતો, જેના કારણે તેનો સ્વભાવ હિંસક બની ગયો હતો. અને જ્યારે તાંત્રિકનું મૃત્યુ થયું ત્યારે તેણે લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More