ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય! થર્ડ એસી ઇકોનોમી કોચ થશે બંધ; આ નિર્ણયની મુસાફરોને કેવી રીતે કરશે અસર જાણો અહીં… 

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વે (Indian Railway) એ ટ્રેનોમાં તાજેતરમાં શરૂ કરાયેલ AC-3 ઇકોનોમી (3E) વર્ગને દૂર કરવાનો નિર્ણય લીધો છે. નવી રેલવે સેવા 14 મહિના પહેલા જ શરૂ થઈ હતી. હવે તેને AC-3 સાથે મર્જ કરવામાં આવશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાડાના મામલે રાહત તરીકે 3E રજૂ કરવામાં આવ્યો હતો. 

સામાન્ય AC-3 કોચની સરખામણીએ તેનું ભાડું 6-7 ટકા ઓછું હતું. અત્યાર સુધી, મુસાફરો સ્પેશિયલ ટ્રેનોમાં “3E” ની અલગ કેટેગરી હેઠળ AC-3 ઇકોનોમી ટિકિટ (Economy ticket) બુક કરી શકતા હતા. જ્યાં રેલવે આવી સીટો ઓફર કરતી હતી. મીડિયા હાઉસમાં આવેલા એક અહેવાલ મુજબ, 3E શ્રેણી હેઠળની ટિકિટો આગામી કેટલાક મહિનાઓ સુધી આવી ઘણી ટ્રેનોમાં ઉપલબ્ધ નથી. 

અહેવાલમાં જણાવાયું છે કે તમામ ટ્રેનોમાં AC-3 સાથે 3Eને મર્જ કરવાની પ્રક્રિયા આગામી ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. સામાન્ય AC-3 કોચની સરખામણીમાં AC-3 ઇકોનોમી કોચમાં પગની જગ્યા ઓછી હોય છે.

આ સમાચાર પણ વાંચો: આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે! 

AC 3E કથિત રીતે સારી સવલતો અને પોસાય તેવા ભાવે વધુ બર્થ ધરાવે છે. હાલમાં, 11,277 સામાન્ય AC-3 કોચની સરખામણીએ 463 AC-3 ઇકોનોમી કોચ છે. તેથી તેની કોઈ અસર થશે નહીં. અહેવાલમાં કહેવાયું છે કે AC-3 ઇકોનોમી કોચમાં મુસાફરો માટે સામાન્ય AC-3 કોચ કરતાં વધુ સારી સુવિધા છે અને આવા કોચમાં બેડરોલ (Linen service) ની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે જે અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી. તેમણે કહ્યું કે બેડરોલની સુવિધા આપવાનો વધારાનો ખર્ચ પ્રતિ પેસેન્જર 60-70 રૂપિયા છે. સામાન્ય AC-3 કોચમાં 72 બર્થ હોય છે, જ્યારે દરેક AC-3 ઇકોનોમી કોચમાં 83 બર્થ હોય છે. રેલવેએ દાવો કર્યો હતો કે વધુ બેઠકો ધરાવતા નવા કોચ વિશ્વમાં “તેના વર્ગમાં સૌથી સસ્તી એર-કન્ડિશન્ડ ટ્રેન મુસાફરી” ઓફર કરે છે.

અગાઉ, રેલવે મંત્રાલયે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ટ્રેનો માટે તેના ફૂડ મેનુમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા આપી છે. આ નવા ફૂડ મેનૂ હેઠળ મુસાફરોને તેમની પસંદગી અનુસાર પ્રાદેશિક અને મોસમી ખોરાક આપવામાં આવશે. આ ભોજનનો ચાર્જ તમારી ટિકિટમાં સામેલ કરવામાં આવશે નહીં, પરંતુ જો ભોજન પહેલેથી ટિકિટમાં સામેલ છે, તો મેનૂ IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે, મુસાફરો દ્વારા નહીં.

આ સમાચાર પણ વાંચો:  નેટવર્ક વગર પણ થશે વાતચીત! Apple એ IPhone 14 માટે સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર પાડ્યું બહાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More