OpenAI lawsuit: AI વિવાદ: ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી, આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર આટલા કેસ દાખલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ વિરુદ્ધ સાત મુકદ્દમા દાખલ થયા, આરોપ છે કે ChatGPT (ચેટજીપીટી) એ લોકોને આત્મહત્યા માટે ઉશ્કેર્યા અને ભ્રમની સ્થિતિ પેદા કરી.

by aryan sawant
OpenAI lawsuit AI વિવાદ ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી,

News Continuous Bureau | Mumbai

OpenAI lawsuit કૃત્રિમ બુદ્ધિમત્તા કંપની ઓપનએઆઈને સાત મુકદ્દમાનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપ છે કે ChatGPT (ચેટજીપીટી) એ લોકોને આત્મહત્યા માટે ઉશ્કેર્યા અને ભ્રમની સ્થિતિ પેદા કરી. કેલિફોર્નિયાની અદાલતોમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં ખોટા કારણોસર મૃત્યુ, આત્મહત્યા માટે ઉશ્કેરવા, અજાણતાં હત્યા અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે જે લોકોએ આત્મહત્યા કરી, તેમને પહેલાથી કોઈ માનસિક સમસ્યા નહોતી.

મુકદ્દમામાં લગાવવામાં આવેલા ગંભીર આરોપો

ઓપનએઆઈ વિરુદ્ધ મુકદ્દમો છ પુખ્ત વયના અને એક કિશોરે દાખલ કરાવ્યો છે. મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે ઓપનએઆઈએ જાણીજોઈને GPT-4o ને સમય પહેલા જારી કર્યું, જ્યારે અંદરની ચેતવણીઓ હતી કે તે ખતરનાક રીતે ખુશામતખોર અને મનોવૈજ્ઞાનિક રીતે ભ્રમિત કરનારું છે. ચાર પીડિતોના મોત આત્મહત્યાથી થયા છે.

કિશોરને ફાંસી લગાવવા માટે ઉશ્કેર્યો

સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમા મુજબ, 17 વર્ષના અમાઉરી લેસીએ મદદ માટે ચેટજીપીટીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ મદદ કરવાને બદલે ચેટજીપીટીએ લેસીને લત, ડિપ્રેશન પેદા કર્યું, અને તેને એ સલાહ આપી કે ફાંસીનો ફંદો કેવી રીતે બાંધવો અને તે શ્વાસ લીધા વિના કેટલી વાર જીવીત રહી શકશે. મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘અમાઉરીનું મૃત્યુ ન તો કોઈ દુર્ઘટના હતી અને ન તો કોઈ સંયોગ, પરંતુ આ ઓપનએઆઈ અને સેમુઅલ ઓલ્ટમેન દ્વારા સુરક્ષા પરીક્ષણમાં કાપ મૂકવાના અને ચેટજીપીટીને ઉતાવળમાં બજારમાં લોન્ચ કરવાના નિર્ણયનું પરિણામ હતું.’

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!

લોકોને આર્થિક અને માનસિક આઘાત

ઓપનએઆઈએ હજી મુકદ્દમાઓ પર કોઈ જવાબ આપ્યો નથી. કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા 48 વર્ષીય એલન બ્રુક્સ દ્વારા દાખલ કરાયેલા એક અન્ય મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે બે વર્ષથી વધુ સમય સુધી ચેટજીપીટી તેના માટે એક રિસોર્સ ટૂલ તરીકે કામ કરતું રહ્યું. પછી, કોઈ પણ ચેતવણી વિના ચેટજીપીટી બદલાઈ ગયું, તેની નબળાઈઓનો ફાયદો ઉઠાવ્યો અને તેને ભ્રમનો અનુભવ કરાવ્યો. જેના પરિણામે બ્રુક્સ માનસિક સમસ્યાઓથી ઘેરાઈ ગયા અને તેમને આર્થિક અને ભાવનાત્મક નુકસાન થયું. મીડિયા રિપોર્ટ મુજબ પીડિતો તરફથી મુકદ્દમો દાખલ કરનાર લો ફર્મ સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લો સેન્ટરના એટર્ની મેથ્યુ પી બર્ગમેને કહ્યું કે ચેટજીપીટીના ટૂલ GPT-4o ને ટૂલ અને સાથી વચ્ચેની રેખાને ધૂંધળી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે GPT-4o ને યુઝર્સને ભાવનાત્મક રીતે ફસાવવા માટે ડિઝાઇન કરાયું, પરંતુ લોકોને બચાવવા માટે જરૂરી સુરક્ષા ઉપાયો વિના જ તેને રિલીઝ કરી દેવામાં આવ્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More