News Continuous Bureau | Mumbai
Cyber Crime : આજકાલ સાયબર ક્રાઇમના ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે નીચે દર્શાવેલી સાવધાનીઓ લોકોએ રાખવી જોઇએ. જો આ પ્રકારની સાવધાનીઓ ધ્યાનમાં રાખવામાં આવશે. તો તમે સાયબર ક્રાઇમના ભોગ બનતા અટકી જશો. પોલીસ તંત્ર દ્વારા લોકોને નીચેની સાવધાનીઓ લક્ષમાં લેવા માટે અપીલ કરવામાં આવી છે.
- ભોગ બનનારે તરત જ ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ ( Cyber Crime complaint ) નોંધાવવી જોઈએ.
- બેન્ક / ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ/ કોઇપણ અધિકૃત સંસ્થા ક્યારેય બેન્કની વિગતો જેવી કે, પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ, સીવીવી, ઓટીપી કે પિન માંગતી નથી, તેથી ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો.
- હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો AN-પાસવર્ડ ક્યાંય દાખલ ન કરવો.
- ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં આવશો નહી.
- બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું.
- કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. અજાણી લિન્ક પર ક્લિક ન કરવી.
- જો અજાણી લિન્ક ઓપન થઈ જાય તો બેન્કની વિગત, પર્સનલ માહિતી દાખલ કરવી નહી, રૂપિયાની ચૂકવણી કરવી નહી અને આવા પ્રકારની પ્રોફાઇલની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી.
- ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો, હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો PN/પાસવર્ડ ક્યાંય દાખલ કરવાની જરૂર નથી,
- હંમેશા મજબુત પાસવર્ડ રાખવો, જેમાં અંકો, ચિન્હો, અક્ષરોનો ઉપયોગ કરવો તેમજ સમયાંતરે તેને બદલતા રહેવું.
- ક્યારેય અજાણી લિન્ક ઓપન કરી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. જેથી રૂબરૂ મુલાકાત કે ખરાઇ કર્યા વગર ચુકવણી કરવી નહી.
- ખાસ યાદ રાખો કે, રૂપિયા મેળવવા માટે ઓટીપી, પીન કે પાસવર્ડની જરૂર હોતી નથી, બેન્ક કે કંપનીની અસલ અધિકૃત વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઇએ.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અનુસૂચિત જાતિઓની યાદીની સમીક્ષા અંગે ‘જસ્ટિસ બાલાકૃષ્ણન તપાસ આયોગ’ની જાહેર સુનાવણી ૯મી ઑગસ્ટે અમદાવાદમાં થશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.