Site icon News Continuous Bureau | Mumbai

શું તમે દુનિયાની સાતમી અજાયબી કહેવાતા તાજમહાલના એ દરવાજા વિશે જાણો છો? જાણો રહસ્ય

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,1 નવેમ્બર, 2021
સોમવાર.

તાજમહાલ એ ભારતનું ગૌરવ છે, જેની  મુલાકાત લેવા વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ આવે છે; પરંતુ મિત્રો, આ તાજમહાલના ઘણાં મોટાં રહસ્યો પણ છે. મોટા ભાગના લોકો એ જાણતા નથી. પ્રેમના પ્રતીક તરીકે પ્રખ્યાત તાજમહાલ મુઘલ શાસક શાહજહાં દ્વારા તેની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

દંતકથા અનુસાર શાહજહાં એક એવી ઇમારત બનાવવા માગતો હતો, જેમાં કોઈ ભૂલ ન થાય, પરંતુ મુમતાઝ મહાલના થડની ઉપર છતમાં એક છિદ્ર હતું. કહેવાય છે કે શાહજહાંએ મજૂરોના હાથ તોડી નાખ્યા હતા.એક કારીગરે જાણી જોઈને આ છિદ્ર કર્યું હતું.

એ જ રીતે દીવાલો પર કોતરવામાં આવેલા 11 સ્તંભોમાંથી ફક્ત એક જ આકારમાં ગોળાકાર છે જ્યારે અન્ય ત્રિકોણાકાર કટિંગ ડિઝાઇન ધરાવે છે. તાજમહાલનું બીજું રહસ્ય એ છે કે તાજમહાલની નીચે કેટલાક રૂમ ઈંટોથી ઢંકાયેલા છે. આ ઈંટો તાજમહાલના નિર્માણ પછી બનાવવામાં આવી હતી, એટલે કે આ રૂમો બન્યા પછી તેને ઈંટોથી ઢાંકી દેવામાં આવ્યા હતા. પરંતુ આજે આપણે દેશના વધુ એક તાજમહાલ વિશે જાણવા જઈ રહ્યા છીએ.

શું તમે જાણો છો કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટરોનાં નામ ભારતીય લોકોનાં નામ જેવાં શા માટે છે? અત્યારે જ જાણો

હા, બીજો તાજમહાલ. ભોપાલમાં આવો જ બીજો તાજમહાલ છે. હા, ભોપાલમાં એક તાજમહાલ છે જેની ઘણી વાર્તાઓ છે. આજે અમે તમને તાજમહાલના એક એવા દરવાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આજ સુધી કોઈ ખોલી શક્યું નથી. એટલું જ નહીં, સરકાર આ દરવાજો ખોલતાં ડરે છે. 

ભોપાલનો આ તાજમહાલ આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો છે. આ તાજમહાલમાં કોઈ કબર નથી અને પ્રેમનું પ્રતાક પણ નથી. તાજમહાલ કોઈ સમ્રાટ દ્વારા નહીં, પરંતુ એક બેગમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનું નામ શાહજહાં બેગમ હતું. તે રાજવંશની રાણી છે અને તેના રહેવા માટે આ તાજમહાલ બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ તાજમહાલમાં આઠ મોટા હૉલ સાથે સેંકડો રૂમ છે. કહેવાય છે કે આ હૉલમાં શાહજહાં બેગમની તમામ સભાઓ અને ભોજન સમારંભો યોજાતા હતા. બાંધકામ 1871માં શરૂ થયું અને 1884માં પૂર્ણ થયું. 13 વર્ષમાં પૂર્ણ થયેલો તાજમહાલ આજે પણ એકદમ નવો લાગે છે.

આ તાજમહાલ પહેલા 'રાજમહેલ' તરીકે ઓળખાતો હતો. કહેવાય છે કે બેગમે આ તાજમહાલનું નામ 'રાજમહેલ' રાખ્યું હતું. પરંતુ તેની સુંદરતા એટલી બધી હતી કે પાછળથી તેનું નામ બદલીને તાજમહાલ રાખવામાં આવ્યું. 17 એકરમાં બનેલા તાજમહાલની કિંમત 3 લાખ રૂપિયા છે. તાજમહાલના નિર્માણ પછી બેગમ એટલી ખુશ હતી કે તેણે ત્રણ વર્ષ સુધી એની ઉજવણી કરતી હતી.

તાજમહાલની બહાર પાંચ માળ અને અંદર બે માળ છે. હાથી પણ દરવાજા તોડી શકતા નથી. કહેવાય છે કે આ તાજમહાલની સુંદરતા એના દરવાજા છે. આ દરવાજાનું વજન એક ટનથી વધુ છે. જોકે ઘણા હાથીઓ એકસાથે આ દરવાજા ખખડાવવા માગે છે, તેઓ એને તોડી શકતા નથી. આ દરવાજાઓની કોતરણીમાં રંગીન કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે સૂર્યનાં કિરણો રંગીન કાચ પર પડે છે, ત્યારે પ્રકાશ લોકોની આંખો પર પડે છે. 

અંગ્રેજો પણ તાજમહાલમાં પ્રવેશી શક્યા ન હતા. એક વાર જ્યારે એક બ્રિટિશ અધિકારી તાજમહાલ જોવા અંદર ગયો, ત્યારે તેણે એ દરવાજામાંથી પાછા જવું પડ્યું. તાજમહાલમાંથી અંદર જવા માટે તમારે નીચે નમવું પડતું હતું, પરંતુ બ્રિટિશ અધિકારીઓને આ સ્વીકાર્ય ન હતું. અંગ્રેજ અધિકારીએ બેગમને આ દરવાજા પરનો કાચ તોડવાની સૂચના આપી હતી, પરંતુ બેગમે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કહેવાય છે કે રાણીના ઇનકાર પછી અંગ્રેજ અધિકારીનો પારો ચડી ગયો અને તેમણે સતત 100 વખત ગોળીબાર કર્યો, પરંતુ એમ છતાં તે દરવાજો તૂટી શક્યો નહીં. ત્યારથી દરવાજો બંધ જ છે. સ્થાનિક લોકો દરવાજો ખોલવાનો ઇનકાર કરે છે. તેઓ માને છે કે બેગમ દરવાજો ખોલવા માગતાં ન હતાં. એવું માનવામાં આવે છે કે બેગમનો આત્મા આજે પણ ત્યાં ભટકે છે.

100 કરોડની ખંડણીની તપાસ: આખરે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, આટલી વખત પાઠવવામાં આવ્યા હતા સમન્સ

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version