News Continuous Bureau | Mumbai
Kopeshwar Temple Khidrapur Architecture મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ નજીક કોલ્હાપુરથી આશરે ૬૫ કિમી દૂર આવેલા ખિદરાપુર (Khidrapur) ગામમાં સ્થિત પ્રાચીન કોપેશ્વર મંદિર પોતાની અનન્ય વાસ્તુશિલ્પ શૈલી અને પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. આ આશરે ૧૭૦૦ વર્ષ જૂના શિવ મંદિરને મહારાષ્ટ્રનું ખજુરાહો (Khajuraho of Maharashtra) પણ કહેવામાં આવે છે, જેમાં મહાદેવના કોઈ પણ મંદિરથી વિપરીત નંદીની મૂર્તિ ગેરહાજર છે અને બે શિવલિંગ બિરાજમાન છે.
Kopeshwar Temple Khidrapur Architecture – નંદી વગરના મંદિર અને બે શિવલિંગ પાછળની પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર રાજા દક્ષના યજ્ઞમાં માતા સતી પોતાના પિતાના ઘરે નંદી (Nandi) પર સવાર થઈને ગયા હતા, જ્યાં અપમાન ન સહી શકાતા તેમણે અગ્નિકુંડમાં દેહત્યાગ કર્યો હતો. આ ઘટનાથી ક્રોધિત થયેલા ભગવાન શિવનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન વિષ્ણુ તેમને અહીં લાવ્યા હતા. તેથી આ મંદિરનું નામ ‘કોપેશ્વર’ (ક્રોધિત ઈશ્વર) પડ્યું. અહીં પ્રથમ શિવલિંગ વિષ્ણુ રૂપે ‘ધોપેશ્વર’ અને દ્વિતીય શિવલિંગ શિવ રૂપે ‘કોપેશ્વર’ તરીકે પૂજાય છે. સતીજી નંદી પર સવાર થઈને ગયા હોવાથી શિવજી પાસે તે સમયે નંદી ન હોવાથી અહીં નંદી પ્રતિષ્ઠિત નથી, પરંતુ નજીકમાં તેમના માટે અલગ મંદિર બનેલું છે.
Kopeshwar Temple Khidrapur Architecture – ૧૦૮ કોતરેલા થાંભલા, ખુલ્લો સ્વર્ગમંડપ અને સ્થાપત્ય કલાની ભવ્યતા
આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેનો ‘સ્વર્ગમંડપ’ (Swargamandap) છે, જેમાં ૪૮ અનોખા થાંભલાઓ છે અને જેની છત આકાશ તરફ ખુલ્લી (Open-to-sky Ceiling) છે. પ્રાચીન સમયમાં હવન અને યજ્ઞનો ધુમાડો સરળતાથી બહાર નીકળી શકે તે માટે આ રચના કરવામાં આવી હતી. મંદિરના અંદરના ભાગમાં કુલ ૧૦૮ કોતરેલા થાંભલા (Carved Pillars) આવેલા છે, જેમાંથી કોઈ પણ બે થાંભલા એકસરખા નથી. બહારની તરફ ૯૫ હાથીઓની આકૃતિઓ છે, જે સમગ્ર મંદિરનો ભાર પોતાના પર ઉઠાવી રહ્યા હોય તેવો ભાસ થાય છે.
Kopeshwar Temple Khidrapur Architecture – ત્રિપુરી પૂર્ણિમા પર અનોખી ખગોળીય ઘટના અને પથ્થર પર કંડારેલું મહાકાાવ્ય
આ મંદિરની સૌથી અદભુત ખગોળીય વિશેષતા (Astronomical Feature) એ છે કે દર વર્ષે માત્ર ત્રિપુરી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર બરાબર સ્વર્ગમંડપની મધ્યમાં આવી જાય છે. આ દ્રશ્ય વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. મંદિરની દીવાલો પર રામાયણ, મહાભારત અને પંચતંત્રની વાર્તાઓ ઉપરાંત સુરસુંદરીઓ, અપ્સરાઓ, ગંધર્વો અને દેવી-દેવતાઓની આકર્ષક મૂર્તિઓ કોતરવામાં આવી છે, જે ભારતીય પુરાતત્વ (Indian Archaeology) નો અનમોલ વારસો છે.
👉 આ સમાચાર વાચો:
Money Plant On Fridge Vastu Tips ફ્રિજ પર મની પ્લાન્ટ રાખવું શુભ કે અશુભ? જાણો તેને કઈ દિશામાં રાખવું જોઈએ
