Site icon News Continuous Bureau | Mumbai

ઔરંગાબાદમાં ધોધમાર વરસાદે પ્રાગ ઐતિહાસિક એલોરા ગુફાના ચિત્રો બગાડ્યા, ઇતિહાસકારો ચિંતામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ઔરંગાબાદમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલા ધોધમાર વરસાદનું પાણી વિશ્વપ્રસિદ્ધ એલોરા ગુફાઓમાં ઘુસી ગયું હતું, જેના કારણે પેઇન્ટિંગને થોડું નુકસાન થયું હતું. ઇન્દ્રસભા તરીકે ઓળખાતી 32 નંબરની ગુફામાં પાણી ભરાયું હતું. આ ગુફા જૈન ગુફાઓમાં સૌથી ઉત્તમ ગુફા માનવામાં આવે છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની વિજ્ઞાન શાખાએ નુકસાનને નિયંત્રિત કરવા માટે પહેલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદને પગલે ગુફા નંબર 33 અને અન્ય સ્થળોએ વરસાદના પાણીને કારણે નુકસાન થયું છે.

મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ASIના સુપ્રીન્ટેન્ડન્ટ પુરાતત્વશાસ્ત્રી મિલનકુમાર ચૌલીએ સોમવારે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુફા 32માં ક્યારેય વરસાદી પાણી ભરાવાની કોઈ ઘટના નોંધાઈ નથી. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદને કારણે, એલોરા ખાતે જુદી જુદી ગુફાઓમાં પુષ્કળ પાણી પડ્યું હતું, જેના કારણે કેટલાક ચિત્રોને નુકસાન થયું હતું. ગુફા 32માં અમારી વિજ્ઞાન શાખાએ વરસાદના પાણીનો નિકાલ કરવા માટે ખાસ મેકેનિકલ જેક અને વોટરપ્રૂફ ફોમ શીટનો ઉપયોગ કરીને ક્ષતિગ્રસ્ત પેઇન્ટિંગને ટેકો આપ્યો છે.

IRCTC Bangkok Pattaya Tour Package IRCTC ટુર પેકેજ થાઈલેન્ડની સફર હવે વધુ સરળ અને સસ્તી, જાણો શું છે ખાસ સુવિધાઓ
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Best Monsoon Getaways in Maharashtra વરસાદી મહારાષ્ટ્રની સફર પ્રકૃતિના ખોળે રમવા માટેના ૮ અદ્ભુત અને શ્રેષ્ઠ સ્થળો
Indian Railway Refund Rules ટ્રેન પ્રવાસના પૈસા પાછા મેળવવાની તક ભારતીય રેલ્વેના આ નવા નિયમો જાણવા જેવી છે
Exit mobile version