Site icon

આજનો દિન વિશેષ – ગાંધી જ્યંતી (02-10-2020)

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની 151મી જયંતી છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ તેમના માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આજના દિવસે લોકો સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને ગાંધી બાપુને યાદ કરે છે. 

Join Our WhatsApp Community

રાષ્ટ્રપિતા તરીકે પણ જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમને પ્રેમથી બાપુ પણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળમાં અહિંસા અને સત્યને અનુસર્યા હતા અને તે જ લોકોને શીખવ્યું હતું. દર વર્ષે 02 ઓક્ટોબરે, મહાત્મા ગાંધીની જન્મજયંતિ ભારતના ખૂણે-ખૂણે તેમજ વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રેલીઓ, પોસ્ટર હરીફાઈઓ, ભાષણ, ચર્ચા, નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  

ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Exit mobile version