News Continuous Bureau | Mumbai
આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો જન્મદિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, 17 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા(South Africa) થી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. આ 8 ચિત્તામાં 5 માદા અને 3 નર ચિતા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે.
કાર્ગો એરક્રાફ્ટમાં આંતર-ખંડીય ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટના ભાગરૂપે પહેલા આ ચિત્તા રાજસ્થાન(Rajasthan) ના જયપુર (Jaipur) લાવવામાં આવશે. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટરમાં જયપુરથી તેમના નવા ઘર – મધ્યપ્રદેશ(Madhya Pradesh) ના શિયોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક(kuno national park)માં લઈ જવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડશે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક
A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO
— India In Namibia (@IndiainNamibia) September 14, 2022
દરમિયાન આ ચિત્તાઓને લાવવા માટે ભારતનું વિશેષ વિમાન નામીબિયા(Namibia) પહોંચી ગયું છે. આ એરક્રાફ્ટને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેનની તસવીરો સામે આવી છે. તેના પર ચિત્તાનું મોંઢુ પ્રિન્ટ કરવામાં આવ્યું છે, જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ એરક્રાફ્ટ એક અલ્ટ્રા-લોન્ગ રેન્જ જેટ છે જે 16 કલાક સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે અને તેથી તે રિફ્યુઅલિંગ માટે ક્યાંય રોકાયા વિના નામીબિયાથી સીધું ભારત આવશે.
આ પહેલીવાર છે કે કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે.. મહત્વનું છે કે 2020માં સુપ્રીમ કોર્ટે નામીબિયાથી ચિત્તા લાવવા માટે લીલી ઝંડી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : સોનું 50000 રૂપિયાથી નીચે સરક્યું- ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ