Site icon News Continuous Bureau | Mumbai

ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો જન્મદિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, 17 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા(South Africa) થી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. આ 8 ચિત્તામાં 5 માદા અને 3 નર ચિતા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

કાર્ગો એરક્રાફ્ટમાં આંતર-ખંડીય ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટના ભાગરૂપે પહેલા આ ચિત્તા રાજસ્થાન(Rajasthan) ના જયપુર (Jaipur) લાવવામાં આવશે. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટરમાં જયપુરથી તેમના નવા ઘર – મધ્યપ્રદેશ(Madhya Pradesh) ના શિયોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક(kuno national park)માં લઈ જવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડશે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

દરમિયાન આ ચિત્તાઓને લાવવા માટે ભારતનું વિશેષ વિમાન નામીબિયા(Namibia) પહોંચી ગયું છે. આ એરક્રાફ્ટને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેનની તસવીરો સામે આવી છે. તેના પર ચિત્તાનું મોંઢુ પ્રિન્ટ કરવામાં આવ્યું છે, જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ એરક્રાફ્ટ એક અલ્ટ્રા-લોન્ગ રેન્જ જેટ છે જે 16 કલાક સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે અને તેથી તે રિફ્યુઅલિંગ માટે ક્યાંય રોકાયા વિના નામીબિયાથી સીધું ભારત આવશે.

 

આ પહેલીવાર છે કે કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે.. મહત્વનું છે કે 2020માં સુપ્રીમ કોર્ટે નામીબિયાથી ચિત્તા લાવવા માટે લીલી ઝંડી આપી હતી. 

આ સમાચાર પણ વાંચો : સોનું 50000 રૂપિયાથી નીચે સરક્યું- ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version