Site icon News Continuous Bureau | Mumbai

જો તમે બજેટ ના કારણે તમારી મુસાફરી રદ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર- આ પ્રખ્યાત સ્થળો પર તમે રહી શકો છો ફ્રીમાં

News Continuous Bureau | Mumbai

દરેક વ્યક્તિને મુસાફરી(Travelling) કરવી ગમે છે. મુસાફરી તમને નવી વસ્તુઓ વિશે માહિતી આપે છે, તમારું મનોરંજન (entertainment)થાય છે. જેના કારણે તમે તાજગી અનુભવો છો, પરંતુ ઘણી વખત તમે બજેટને(budget) કારણે તમારી મુસાફરીની યોજનાઓ રદ કરી નાખો છો, તો આ લેખ તમારા માટે છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ભોજન, રહેવાનું બધું મફતમાં મેળવી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું છે, અમે તમને તે જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Channel

1. હરિદ્વાર (શાંતિકુંજ)

હરિદ્વારની(Haridwar) ગંગા આરતી ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે ઋષિકેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે તીર્થ શાંતિકુંજ હરિદ્વારમાં પણ રોકાઈ શકો છો. અહીં રહેવાની પણ મફત વ્યવસ્થા છે.

2. ઋષિકેશ (ગીતા ભવન)

તમને અહીં પ્રકૃતિની સુંદરતા જોવા મળશે અને તમે ગીતા ભવનમાં રહી શકો છો. અહીં એક હજાર રૂમ છે, આ આશ્રમમાંથી તમે ગંગાનો (Ganga)નજારો પણ માણી શકો છો.

3. કોઈમ્બતુર (ઈશા ફાઉન્ડેશન)

આ આશ્રમ કોઈમ્બતુરથી(coimbtur) લગભગ 40 કિમીના અંતરે છે. અહીંની આદિયોગીની પ્રતિમા વિશ્વમાં પ્રખ્યાત છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. અહીં મફત સેવા પણ છે.

4. ઉત્તરાખંડ (હેમકુંડ સાહિબ ગુરુદ્વારા)

તમે ઉત્તરાખંડમાં(Uttarakhand) બરફીલા મેદાનોનો નજારો પણ લઈ શકો છો. કેટલીકવાર ભીડને કારણે હોટેલ શોધવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે શ્રી હેમકુંડ સાહિબ(Hemkund saheb) ગુરુદ્વારામાં રહી શકો છો. તે લંગર સેવા માટે પ્રખ્યાત છે. અહીં તમને ખાવા-પીવાનું ફ્રીમાં મળશે.

5. કેરળ (આનંદ આશ્રમ)

જો તમે કેરળની(Kerala) મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યા પર અવશ્ય જાવ. અહીં, હરિયાળી વચ્ચે સ્થિત આનંદ આશ્રમમાં રહેવા માટે સારો વિકલ્પ હશે. અહીંનું ભોજન પણ લોકોને અનુકૂળ આવે છે. હકીકતમાં અહીંના  ખાવામાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ થાય છે.

આ સમાચાર પણ વાંચો : દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ- તોડવા પર થઈ શકે છે જેલ

જો કે, મફતમાં રહેવા માટે, તમારી પાસે આ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ઓળખ કાર્ડ, આધાર કાર્ડ (Adhar card)છે, તો આ સ્થાનો પર જાઓ જેથી તમને રહેવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Best Monsoon Getaways in Maharashtra વરસાદી મહારાષ્ટ્રની સફર પ્રકૃતિના ખોળે રમવા માટેના ૮ અદ્ભુત અને શ્રેષ્ઠ સ્થળો
Indian Railway Refund Rules ટ્રેન પ્રવાસના પૈસા પાછા મેળવવાની તક ભારતીય રેલ્વેના આ નવા નિયમો જાણવા જેવી છે
IRCTC tour Package તીર્થયાત્રાનો સુવર્ણ અવસર IRCTC ના ભારત ગૌરવ પેકેજ સાથે કરો પુરીવારાણસીઅયોધ્યાના દર્શન; જાણો ટૂર તારીખ અને કિંમત
Exit mobile version