Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં 83 વર્ષ પહેલા કંઈક આ રીતે પાળવામાં આવતા હતા ચિત્તા- આ વીડિયો જોઈ તમે રહી જશો દંગ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આ સમયે દેશભરમાં ચિત્તા(Cheetah) ચર્ચાનો વિષય છે. તેનું કારણ એ છે કે નામીબીયા(Namibia)થી લાવવામાં આવી રહેલા આઠ ચિત્તા ભારત(India) આવી પહોંચ્યા છે. દેશમાં 70 વર્ષ બાદ ચિત્તાની દહાડ સાંભળવા મળશે. તેઓ વર્ષ 1952 માં લુપ્ત થઈ ગયા. આ ચિત્તાઓ લગભગ 8 હજાર કિલોમીટરની મુસાફરી કરીને મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના કુનો નેશનલ પાર્ક (Kuno National Park) પહોંચ્યા છે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તા છે, પરંતુ શું તમે જાણો છો કે ભારત(India) એક સમયે ચિત્તાઓનું ઘર હતું? સેંકડો વર્ષ પહેલાં દેશમાં લગભગ 10 હજાર ચિત્તા હતા, પરંતુ શિકારને કારણે તેમની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ અને પછી લુપ્ત થઈ ગઈ. દરમિયાન ચિત્તા (Cheetah) સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Cheetah Viral Video) થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે ચિત્તા ખાટલા પર બેઠા છે અને તેમના ગળામાં પટ્ટો બાંધ્યો છે. ત્યાં એક વ્યક્તિ પણ ઉભો છે, જે ચિતાને સ્નેહ કરતો જોવા મળે છે. આ પછી એવું જોવા મળે છે કે ચિત્તાઓને બળદગાડા દ્વારા જંગલમાં લઈ જવામાં આવે છે અને તેમને છોડી દેવામાં આવે છે. પછી ચિત્તા દોડીને અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા- કેમેરાથી તસવીરો પણ કરી ક્લિક- જુઓ વિડીયો

બે મિનિટ 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. આ વીડિયો IFS ઓફિસર પરવીન કાસવા(Parween Kaswan)ને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં પાલતુ ચિત્તાનો શિકાર કરતા જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો વર્ષ 1939નો જણાવવામાં આવી રહ્યો છે.

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version