Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના

આ પહેલ રાજ્યના મહત્વના પર્યટન સ્થળો પર શરૂ કરવામાં આવે, તેવું તેમણે બેઠકમાં સ્પષ્ટ કર્યું.

by Dr. Mayur Parikh
Joy Mini Train પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના

News Continuous Bureau | Mumbai

રાજ્યના મહત્વના પર્યટન સ્થળોએ પર્યટન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પર્યટન મંત્રી શંભુરાજ દેસાઈએ મહાબળેશ્વર-તાપોળા અને કોયનાનગર-નેહરુનગર એમ બે ‘જૉય મિની ટ્રેન’ શરૂ કરવા અંગે એક સંપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મેઘદૂત સરકારી નિવાસસ્થાને ‘જૉય મિની ટ્રેન’ શરૂ કરવા અંગે આયોજિત બેઠકમાં પર્યટન મંત્રી શંભુરાજ દેસાઈ બોલી રહ્યા હતા. આ સમયે પર્યટન વિભાગના પ્રધાન સચિવ ડૉ. અતુલ પાટણે, પર્યટન નિર્દેશક ડૉ. બી.એન. પાટીલ, મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ ગટણે પણ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યટનને આકર્ષવાનો હેતુ

પર્યટન મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે દેશના મહત્વના સ્થળોએ પર્યટકોને આકર્ષિત કરતી અને પર્યટન સ્થળોની ઓછાં સમયમાં મુલાકાત કરાવતી ‘જૉય મિની ટ્રેન’ એક અત્યંત લોકપ્રિય પહેલ છે. મહારાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ તેને શરૂ કરવાની તેમની ઈચ્છા છે. આ પહેલ રાજ્યના મહત્વના પર્યટન સ્થળો પર શરૂ કરવામાં આવે, તેવું તેમણે આ બેઠકમાં સ્પષ્ટ કર્યું.

આ સમાચાર પણ વાંચો : Central Government: ગાડી 20 વર્ષની થઈ તો પણ બિન્દાસ ચલાવો, પરંતુ તે પહેલા વાંચી લો આ મોટો નિયમ

માથેરાન જેવી ટ્રેન ચલાવવાની યોજના

રાજ્યમાં માથેરાનની જેમ આ પહેલ શરૂ કરવા માટે તમામ સ્થાનિક વિવિધ પરવાનગીઓ મેળવવી, તમામ ટેકનિકલ બાબતો તેમજ આ પહેલથી થનારા આર્થિક નફાની તપાસ કરીને આ પહેલનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે. ઓછાં ખર્ચે આકર્ષક રીતે આ પહેલ કેવી રીતે શરૂ કરી શકાય તેની વિભાગે ખાતરી કરવી જોઈએ, તેવો નિર્દેશ મંત્રી દેસાઈએ આ સમયે આપ્યો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More