Site icon News Continuous Bureau | Mumbai

જો તમારે ધાર્મિક યાત્રા પણ કરવી હોય, અને મઝા પણ માણવી હોય તો, ઉત્તરાખંડ ના આ સ્થળ ની લો મુલાકાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 03 નવેમ્બર, 2021  

Join Our WhatsApp Channel

બુધવાર

પ્રવાસની વાત આવે ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે, પરંતુ ક્યાં જવું, આ બાબતે અવારનવાર વાદ-વિવાદ થતો રહે છે. એક તરફ દાદા-દાદી ધાર્મિક સ્થળ કે તીર્થસ્થળે જવાની વાત કરે છે તો બીજી તરફ બાળકો મજા માણવાની વાત કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતા કોની વાત સાંભળવી તેની વચ્ચે અટવાઈ જાય છે. જો તમે પણ આવી સ્થિતિમાં ફસાયેલા છો તો અમે તમારા માટે ઉકેલ લાવ્યા છીએ. અમે એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ધાર્મિક પણ છે અને મનોરંજક પણ છે. આ સ્થળ ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશ છે. અહીં તમે તમામ મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તેમજ, તમે રિવર રાફ્ટિંગનો આનંદ પણ લઈ શકો છો.

આ છે ઋષિકેશ માં જોવા લાયક મુખ્ય સ્થળો-

રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા

ગંગા નદીના બે કિનારાને જોડતા રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા છે, જે જોવા લાયક છે. આ એવા પૂલ છે, જેના પર ચાલતી વખતે તમે ઝૂલતા અનુભવશો.

ત્રિવેણી ઘાટ

ત્રિવેણી ઘાટ ઋષિકેશનું મુખ્ય સ્થળ છે, જ્યાં લોકો ગંગામાં નાહવા આવે છે.

સ્વર્ગ આશ્રમ

આ આશ્રમની સ્થાપના સ્વામી વિશુદ્ધાનંદ દ્વારા કરવામાં આવી હતી. તે કાલી કમલીના આશ્રમ તરીકે પ્રખ્યાત છે.

નીલકંઠ મહાદેવ

ઋષિકેશથી આગળ જતાં લગભગ 5500 ફૂટની ઊંચાઈએ સ્વર્ગ આશ્રમની ટેકરીની ટોચ પર નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ ભગવાન શિવે અહીં લીધું હતું.

વશિષ્ઠ ગુફા

વશિષ્ઠ ગુફા ઋષિકેશથી 22 કિમી દૂર છે. તે બદ્રીનાથ-કેદારનાથ રોડ પર છે. કહેવાય છે કે ભગવાન રામ અહીં રોકાયા હતા.

રાફ્ટિંગની મજા

જો આપણે ધાર્મિક સ્થળો સિવાયની વાત કરીએ તો ગંગા નદીમાં રાફ્ટિંગ કરવાની એક અલગ જ મજા છે. અહીંના ઘણા સંગઠનો પોસાય તેવા દરે રિવર રાફ્ટિંગ પ્રદાન કરે છે.

પર્યટન જાણકારી : આ દિવાળીમાં જો તમે કેરળ જવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો કેરળની આ 5 શ્રેષ્ઠ જગ્યાઓ વિશે

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version