807
News Continuous Bureau | Mumbai
Navratri Prasad Recipes: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે માતાજી દરરોજ સવાર સાંજ વિવિધ પ્રકારના મિષ્ઠાનનો ભોગ ધરાવીએ પરંતુ પ્રશ્ન એ થાય છે કે રોજ નવિન શું બનાવવું તો આજ મુંજવણને દૂર કરવા માટે અહીં કઇક એવી જ સરળ રેસિપી વિશે જાણએ જેને તમે પ્રસાદ( Prasad Recipes ) તરીકે માતાને ભોગ લગાવી શકશો…
Navratri Prasad Recipes: ઘઉંના લોટનો શીરો

સામગ્રી
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ઓગળેલું ઘી
૩/૪ કપ સાકર
૧ ટીસ્પૂન એલચીનો પાવડર
બદામની કાતરી- સજાવવા માટે
બનાવવાની રીતઃ
- ધઉંના લોટનો શીરો( Ghav na lot no shiro) બનાવવા માટે, નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ઘઉંનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રાઉન રંગનું થાય અને ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
- તેમાં સાકર, એલચીનો પાવડર અને ૩/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર બીજી ૨ થી ૩ મિનિટ સુધી અથવા સાકર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- બદામની કાતરીથી સજાવીને ગરમાગરમ ધઉંના લોટનો શીરો પીરસો.
Navratri Prasad Recipes: સફેદ પેંડા

સામગ્રી
૧ વાડકી મિલ્ક પાઉડર
૧/૩ કપ દૂધ
૧ ટીસ્પૂન ઘી
બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક નોન સ્ટીક પાનમાં ૧ ટીસ્પૂન ઘી ઉમેરી દૂધ નાંખી ગરમ કરો.
- હવે મિલ્ક પાઉડર ઉમેરી સતત હલાવતા રહો જ્યા સુધી લુવા વાળી શકાય એવું ઘટ થાય.
- હવે એક થાળીમાં કાઢી ઠંડુ કરો.
- હવે લુવા વાળી અંગૂઠાની છાપ પાડી ગોઠવો, તેને બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો
- તૈયાર છે સફેદ પેંડા(White penda)નો પ્રસાદમાં ધરી આરોગો.
Navratri Prasad Recipes: મોહનથાળ

સામગ્રી
૨ કપ ચણાનો લોટ
૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી
૬ ટેબલસ્પૂન દૂધ
૧ કપ ઓગળેલું ઘી
૧ ૧/૪ કપ સાકર
૨ ટીસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન ગુલાબ જળ , વૈકલ્પિક
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૧/૪ ટીસ્પૂન કેસર
૧/૨ ટીસ્પૂન તેલ , ગ્રીસિંગ માટે
૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી , છંટકાવ માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી , છાંટવા માટે
બનાવવાની રીત
- મોહનથાળ ( Mohanthal ) બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧/૨ ટીસ્પૂન ગરમ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બેસન, ૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી અને ૩ ટેબલસ્પૂન દૂધ ભેગું કરો અને તમારી આંગળીના ટેરવે જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
- મિશ્રણને સરખું કરવા માટે તેને હળવા હાથે દબાવો. ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- ગઠ્ઠાને તમારી આંગળીના ટેરવે હળવા હાથે તોડી લો અને મોટા છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ કરીને તેને ચાળી લો. બાજુ પર રાખો.
- પીત્તળના વાસણમાં ઘી ને ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી ગરમ કરો.
- તેમાં ચાળેલા ચણાના લોટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી અથવા મિશ્રણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધો.
આ સમાચાર પણ વાંચોઃ Navratri Day 7: નવરાત્રીના 7માં દિવસે થાય છે મા દુર્ગાના સાતમાં સ્વરુપ મા કાલરાત્રીની ઉપાસના, જાણો પૂજાવિધિનું મહત્વ
Join Our WhatsApp Community