Earthquake in Kachchh: કચ્છમાં વહેલી સવારે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ: રાપર અને ભચાઉમાં જોરદાર આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા; જાણો શું છે લેટેસ્ટ અપડેટ.

જમીનથી માત્ર ૧૦ કિમીની ઊંડાઈએ હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ; શુક્રવારની સવારે ધરતી ધ્રૂજતા કચ્છીઓમાં ૨૦૦૧ની યાદો તાજી થઈ.

by aryan sawant
Earthquake in Kachchh કચ્છમાં વહેલી સવારે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ રા

News Continuous Bureau | Mumbai

Earthquake in Kachchh  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે ૦૪:૩૦ વાગ્યે કચ્છની ધરતી હચમચી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા ૪.૪ હોવાથી તેની અસર કચ્છના વાગડ વિસ્તાર એટલે કે રાપર અને ભચાઉમાં સૌથી વધુ જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૧૦ કિમીની ઊંડાઈએ હોવાથી આંચકાનો અનુભવ તીવ્ર રહ્યો હતો.

કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વહેલી સવારે આંચકો આવતા લોકોએ ખુલ્લા મેદાન કે રસ્તાઓ પર આશરો લીધો હતો.

કચ્છમાં વારંવાર આવતા આંચકા

કચ્છ જિલ્લો હાઈ સેસ્મિક જોખમ ધરાવતા ‘ઝોન-૫’ માં આવે છે. આ મહિનામાં આ ત્રીજો મોટો આંચકો છે:
૧૩ ડિસેમ્બરે ૩.૯ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
૨૪ ડિસેમ્બરે પણ ભચાઉ નજીક હળવો આંચકો નોંધાયો હતો. નિષ્ણાતોના મતે ફોલ્ટ લાઈન્સમાં થતી હિલચાલને કારણે આ પ્રકારના આંચકા સમયાંતરે આવતા રહે છે.

આ સમાચાર પણ વાંચો : US Airstrike on ISIS: ટ્રમ્પની મોટી કાર્યવાહી: નાઈજીરિયામાં ISIS પર અમેરિકાની એરસ્ટ્રાઈક, આતંકી કિલ્લાઓ ધરાશાયી.

૨૦૦૧ના વિનાશક ભૂકંપની યાદો

કચ્છમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ૬.૯ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આગામી મહિને જ ૨૦૦૧ના એ કાળમુખા ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે વારંવાર આવતા આ આંચકા સ્થાનિકોમાં ફાળ પાડી રહ્યા છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More