Site icon News Continuous Bureau | Mumbai

Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ

અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદઝાદાએ કુનાર નદી પર તાત્કાલિક બંધ બાંધવાની સૂચના આપી છે. આ પગલાથી પાકિસ્તાનની જળ પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે.

Afghanistan ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે કુનાર નદી પર બંધ બનાવવાની

Afghanistan ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે કુનાર નદી પર બંધ બનાવવાની

News Continuous Bureau | Mumbai

Afghanistan ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનના જળ પુરવઠા પર નિયંત્રણ લાદી શકે છે. તાલિબાનના ઉપ માહિતી મંત્રી મુજાહિદ ફરાહીએ જાહેરાત કરી છે કે જળ અને ઊર્જા મંત્રાલયને તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદઝાદા તરફથી કુનાર નદી પર વિલંબ કર્યા વિના બંધનું નિર્માણ શરૂ કરવાના નિર્દેશો મળ્યા છે. કુનાર નદી પાકિસ્તાનમાં વહે છે અને પાકિસ્તાન માટે પાણીનો એક મોટો સ્ત્રોત છે. મુજાહિદ ફરાહીના જણાવ્યા અનુસાર, અમીર અલ-મુમિનીને મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોવાને બદલે સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે કરાર કરવા આદેશ આપ્યો છે, જેથી કામ ઝડપથી શરૂ કરી શકાય. જળ અને ઊર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂરે ભારપૂર્વક જણાવ્યું છે કે, “અફઘાનોને તેમના જળ સંસાધનોના સંચાલનનો અધિકાર છે.”

Join Our WhatsApp Channel

બંધ નિર્માણ માટે ઘરેલું કંપનીઓને આદેશ

ઉપ માહિતી મંત્રી મુજાહિદ ફરાહીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદઝાદાએ જળ અને ઊર્જા મંત્રાલયને કુનાર નદી પર બંધનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે. આ નિર્દેશોમાં એ પણ સામેલ છે કે વિદેશી કંપનીઓને બદલે ઘરેલું અફઘાન કંપનીઓ સાથે કરાર કરવા જોઈએ, જેથી કામમાં બિલકુલ વિલંબ ન થાય. કાબુલ અને કુનાર નદી પાકિસ્તાનમાં વહે છે અને લાંબા સમયથી પાકિસ્તાનમાં પાણીનો મોટો સ્ત્રોત રહી છે, તેથી આ નિર્ણય પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની શકે છે.

અફઘાનિસ્તાનનો જળ સંસાધનો પર અધિકારનો દાવો

જળ અને ઊર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂરે આ પગલાને સમર્થન આપતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાનના નાગરિકોને તેમના જળ સંસાધનો ના સંચાલનનો સંપૂર્ણ અધિકાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન તેની નદીઓના પાણીનો ઉપયોગ પોતાના આંતરિક વિકાસ અને જરૂરિયાતો માટે કરવા પર ભાર મૂકી રહ્યું છે. તાલિબાનનું આ પગલું ક્ષેત્રીય જળ રાજકારણ માં એક મોટો ફેરફાર લાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?

જ્યારે ભારતે પણ પાણી રોકવાનો સંકેત આપ્યો

આ પહેલાં, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પણ પાકિસ્તાન સાથે થયેલી જળ સંધિ રદ કરવાની અને જળ પુરવઠા પર નિયંત્રણો લાદવાની વાત કરી હતી. કાશ્મીરમાં 26 નાગરિકો માર્યા ગયા પછી તરત જ, સરકારે 1960ની સિંધુ જળ સંધિમાં તેની ભાગીદારી સ્થગિત કરી દીધી હતી. આમાં એક મુખ્ય યોજના તરીકે ચિનાબ નદી પર રણબીર નહેરની લંબાઈ બમણી કરીને 120 કિમી કરવાની વાત હતી, જે ભારતમાંથી પસાર થઈને પાકિસ્તાનના પંજાબના કૃષિ વિસ્તારમાં જાય છે. ભારત અને અફઘાનિસ્તાનના આ પગલાં પાકિસ્તાન માટે જળ સંકટ ઊભું કરી શકે છે.

CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
Exit mobile version