News Continuous Bureau | Mumbai
અંધેરીમાં ગોપાલકૃષ્ણ ગોખલે(Gokhale Bridge) રેલવે બ્રિજનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરલ ઓડિટ બાદ કન્સલ્ટન્ટની સલાહથી જર્જરિત બ્રિજને સોમવાર, 7 નવેમ્બર, 2022થી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ટ્રાફિક માટે વિવિધ વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, પુલનું કામ અત્યંત પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવ્યું છે અને મે 2023 સુધીમાં 2 લેન ટ્રાફિક માટે ખોલવામાં આવશે. બાકીની 2 લેન સપ્ટેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ એડિશનલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી
દરમિયાન, આ વિસ્તારમાં ટ્રાફિક માટે ઉપલબ્ધ કરાયેલા વૈકલ્પિક માર્ગો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, આ વૈકલ્પિક માર્ગો પર સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે કાળજી લેવામાં આવી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વધારાના 200 માનવબળની નિમણૂક કરવામાં આવી છે.