Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર્સને નિર્દેશ આપ્યો છે કે જ્યાં પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હોય, ત્યાં પૂરતા પ્રમાણમાં ટેબલ અને ગણતરી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પ્રક્રિયામાં વિલંબ ન થાય

by Dr. Mayur Parikh
Election Commission ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર

News Continuous Bureau | Mumbai
Election Commission ચૂંટણી પંચ (ECI) એ ચૂંટણી પ્રક્રિયાને લઈને એક મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર પોસ્ટલ બેલેટની ગણતરી સાથે સંબંધિત છે. હવે પંચે જાહેરાત કરી છે કે પોસ્ટલ બેલેટની ગણતરીની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત કરવામાં આવશે જેથી વિલંબ અને મૂંઝવણની સ્થિતિથી બચી શકાય.
ગણતરીની પ્રક્રિયા હવે બે મુખ્ય તબક્કામાં થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ (ETPBs) ની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ EVM દ્વારા ગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે હવે સ્પષ્ટ કરી દીધું છે કે EVM અને VVPAT ના છેલ્લા બે રાઉન્ડની ગણતરી ત્યારે જ થશે, જ્યારે તમામ પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ જશે. તેનાથી ચૂંટણી પરિણામોની ઘોષણામાં સ્પષ્ટતા અને પારદર્શિતા સુનિશ્ચિત થશે.

EVMની ગણતરી પહેલા પૂરી થશે, પોસ્ટલ બેલેટની ગણતરી

ગણતરીના દિવસે પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થાય છે, જ્યારે EVMની ગણતરી 8:30 વાગ્યાથી થાય છે. અગાઉની વ્યવસ્થામાં, EVMની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થયા પહેલા પણ પૂરી થઈ શકતી હતી, પરંતુ નવી વ્યવસ્થાથી આ બદલાઈ જશે. હવે પોસ્ટલ બેલેટની ગણતરી કોઈપણ સંજોગોમાં EVMની ગણતરી પહેલા પૂરી થઈ ચૂકી હશે.પંચનું કહેવું છે કે તાજેતરના પગલાં જેમ કે દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ઘરેથી મતદાનની સુવિધા આપવાને કારણે પોસ્ટલ બેલેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, પારદર્શિતા જાળવી રાખવા અને દરેક મતની ગણતરી સુનિશ્ચિત કરવા માટે આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ladakh dispute: શું છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ, જેના માટે લદાખમાં થયો આટલો હોબાળો, લાગુ થશે તો શું ફેરફાર થશે?

ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર્સને આપ્યા નિર્દેશ

ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર્સ (ROs) ને એ પણ નિર્દેશ આપ્યો છે કે જ્યાં પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હોય, ત્યાં પૂરતા પ્રમાણમાં ટેબલ અને ગણતરી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય. તેનાથી પરિણામોની ઘોષણા સમયસર થઈ શકશે અને મતગણતરી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થશે. આ નિર્ણયથી મતગણતરીની પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બનશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More