News Continuous Bureau | Mumbai
Fuel Excise Duty Waived અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આ વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે કેન્દ્રીય આબકારી જકાત અને અન્ય સેસ સંપૂર્ણપણે નાબૂદ કરીને શૂન્ય કરી દીધા છે.
Fuel Excise Duty Waived – ૨૨ ટકાથી ૩૦ ટકા સુધીના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને વધુ પ્રોત્સાહન આપવા માટે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા નિયમ અંતર્ગત ૨૨ ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પર ઉત્પાદન શુલ્કમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પર હવે કોઈ એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં. અત્યાર સુધી સરકાર દ્વારા ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ એટલે કે E20 પેટ્રોલ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે તેનાથી વધુ ઇથેનોલ ધરાવતા ગ્રીન ફ્યુઅલને મોટો વેગ મળશે.
Fuel Excise Duty Waived – ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટશે અને ઇંધણના ભાવ સ્થિર રાખવામાં મળશે મદદ
ભારત વિશ્વમાં કાચા તેલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે સરકારના આ પગલાથી ભવિષ્યમાં ઇંધણના ભાવ સ્થિર રાખવામાં મોટી મદદ મળશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને સસ્તું બળતણ મળશે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પરનો આર્થિક બોજ પણ ઓછો થશે. જો કે, આ ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવા માટે વાહન ઉત્પાદક કંપનીઓએ હવે એવા એન્જિન વિકસાવવા પડશે જે આ બળતણ સાથે સુસંગત હોય.
Fuel Excise Duty Waived – પ્રદૂષણમાં ઘટાડો થશે અને ખેડૂતોની આવકમાં થશે મોટો વધારો
ઇથેનોલ એ એક બાયોફ્યુઅલ એટલે કે જૈવિક બળતણ છે, જેને મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પેદાશોમાંથી તૈયાર કરવામાં આવે છે. પેટ્રોલમાં ઇથેનોલનો વપરાશ વધારવાથી વિદેશોમાંથી મંગાવાતા મોંઘા કાચા તેલ પર ભારતની નિર્ભરતા ઘટશે, દેશનું વિદેશી હૂંડિયામણ બચશે અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થતાં પર્યાવરણને પણ ફાયદો થશે. આ ઉપરાંત ઇથેનોલનું ઉત્પાદન વધવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને કૃષિ ક્ષેત્રમાં માગ વધવાને કારણે દેશના કરોડો ખેડૂતોની આવક વધારવામાં આ યોજના ગેમ ચેન્જર સાબિત થશે.
👉 આ સમાચાર વાચો:
US Iran War Update ટ્રમ્પની ધમકી બાદ અમેરિકાની મોટી સૈન્ય કાર્યવાહી, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ!
