Imran Khan Arrest : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુશ્કેલીમાં વધારો, ઈમરાન ખાનની હવે આ નવા કેસમાં થઇ ધરપકડ..

Imran Khan Arrest : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. આ વખતે જનરલ હેડક્વાર્ટર પર હુમલાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

by kalpana Verat
Imran Khan Arrest Imran Khan arrested in GHQ attack case

 News Continuous Bureau | Mumbai

Imran Khan Arrest : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક  ઈમરાન ખાન ( Imran Khan ) ની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. આ વખતે જનરલ હેડક્વાર્ટર પર હુમલાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. રાવલપિંડી પોલીસે ખાનની ધરપકડ કરી અદિયાલા જેલમાં મોકલી દીધો છે. તેમની ધરપકડ ત્યારે કરવામાં આવી છે જ્યારે તે પહેલાથી જ ઘણા કેસોમાં અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ થયા ઈમરાન ખાન

પાકિસ્તાની ( Pakistan ) ન્યૂઝ ચેનલ એઆરવાય અનુસાર, રાવલપિંડીની એક આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) એ 9 મે, 2023 ના રોજ GHQ હુમલાના કેસ તેમજ મેટ્રો સ્ટેશન પર આગ લગાડવા અને હિંસા ભડકાવવાના અન્ય બે કેસના સંબંધમાં ખાનને સમન્સ પાઠવ્યું હતું.

રિપોર્ટસ મુજબ રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલતના ન્યાયાધીશ મલિક એજાઝે આ કેસની સુનાવણી કરી હતી, જેમાં ઈમરાન ખાનને પણ કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. જોકે, જેલ અધિકારીઓએ તેને કોર્ટમાં રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ખાનને અદિયાલા જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા .

ઈમરાનની જેલમાં પૂછપરછ કરવામાં આવશે

સુનાવણી દરમિયાન આરએ બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 9 મેના કેસમાં ઈમરાન ખાનના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ એટીસી જજ મલિક ઈજાઝ આસિફે અરજી ફગાવી દીધી હતી અને પોલીસને ખાનની જેલમાં પૂછપરછ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે પ્રોસિક્યુશન અને બચાવ પક્ષના વકીલોને 23 જાન્યુઆરી, 2024 ના રોજ આગામી સુનાવણીમાં તેમની દલીલો અને પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ જારી કરી છે.

શું છે 9 મેની હિંસા કેસ?

ઈમરાન ખાનની 9 મે 2023ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ ( arrested )  કરવામાં આવી હતી. તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણીમાં હાજર રહ્યા હતા. 2018 થી 2022 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન રહેલા ખાન પર વિદેશી દેશોમાંથી ગેરકાયદેસર ભેટો અને સંપત્તિ મેળવવાનો આરોપ હતો. 9 મેના રોજ તેમની ધરપકડથી સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ અને રમખાણો થયા, કારણ કે તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો તેમની મુક્તિની માંગણી માટે શેરીઓમાં ઉતરી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Sri Lanka Suicide: શ્રીલંકામાં પુનર્જન્મની શોધમાં ધર્મગુરુ સહિત આટલા લોકોએ કર્યો આપઘાત.. પોલીસ તપાસ ચાલુ.. જાણો વિગતે..

આ દરમિયાન ઇમરાનના સમર્થકોએ લાહોરના જનરલ હેડક્વાર્ટર (GHQ)માં જિન્ના હાઉસ, મિયાંવાલી એરબેઝ પર હુમલો કર્યો હતો. દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. ઈમરાન સમર્થકો દ્વારા રમખાણો માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સિવાય 5 હજાર લોકો પર આતંકવાદ વિરોધી અધિનિયમ (ATA) અને અન્ય કાયદાઓ હેઠળ આરોપ અને ધરપકડ કરવામાં આવી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More