Site icon News Continuous Bureau | Mumbai

Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર

ભારત અને અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતની સંભાવનાઓ પર વિચાર શરૂ કરી દીધો છે. આ મુલાકાત આસિયાન શિખર સંમેલન દરમિયાન થઇ શકે છે.

PM Modi Birthday Call જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા

PM Modi Birthday Call જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા

News Continuous Bureau | Mumbai
Narendra Modi મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર સૌની નજર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલન દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત શક્ય છે. બંને નેતાઓ ભારત-અમેરિકા સંબંધોને ફરીથી મજબૂત કરવાના પ્રયાસમાં સામ-સામે આવી શકે છે. આ સંમેલન ૨૬ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં યોજવામાં આવશે.મલેશિયાના વડાપ્રધાન દાતુક સેરી અનવર ઇબ્રાહિમે પુષ્ટિ કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને યોજાનાર ૪૭મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મલેશિયા પહોંચશે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને H1-B વિઝા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેના પર બંને દેશો વચ્ચે લાંબા સમયથી મતભેદ છે.

રાજદ્વારી સ્તરે તૈયારીઓ ચાલી રહી છે

આ વખતે આસિયાન સંમેલનની યજમાની મલેશિયા કરી રહ્યું છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને તેમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ મલેશિયાએ તેમને ઔપચારિક આમંત્રણ મોકલ્યું. જોકે ટ્રમ્પની યાત્રાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી, પરંતુ તેમના આવવાની સંભાવનાએ આ સંમેલનને ભારત માટે ખાસ બનાવી દીધું છે. સૂત્રો અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોદીની યાત્રાની પણ ઔપચારિક જાહેરાત થઈ નથી, પરંતુ રાજદ્વારી સ્તરે મોદી અને ટ્રમ્પની સંભવિત બેઠકનો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન લીથોટ્રીપ્સી પધ્ધતિથી ૫૬ દર્દીઓની પથરીઓ દુર કરવામાં આવીઃ

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ

Narendra Modi વાસ્તવમાં, ઓપરેશન સિંદૂર પછી ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધ્યો હતો. ટ્રમ્પ સતત એવું કહેતા રહ્યા કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ તેમના કારણે થયો. આ પછી, રશિયા પાસેથી તેલની ખરીદી પર અમેરિકા દ્વારા ૫૦% ટેરિફ લગાવવાથી સંબંધોમાં વધુ કડવાશ આવી. કેટલાક તાજેતરના નિર્ણયોએ પણ ભારતને અસર કરી છે. આ દરમિયાન, ૧૬ સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આ પછી બંને દેશો વચ્ચે અટકી પડેલી વેપાર વાટાઘાટો ફરીથી શરૂ થઈ. સૂત્રોનું કહેવું છે કે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ વાતચીત મોદી-ટ્રમ્પ મુલાકાત પહેલા પૂર્ણ થઈ જાય જેથી બંને નેતાઓની બેઠક સકારાત્મક માહોલમાં થાય.જાણકારી મુજબ, મોદીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં જવાનું હતું, પરંતુ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતની અધૂરી તૈયારીઓને કારણે તેમણે યાત્રા મોકૂફ રાખી. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકરે મહાસભામાં ભાગ લીધો અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત પણ કરી. આવા સંજોગોમાં આસિયાન સંમેલનમાં મોદી અને ટ્રમ્પની મુલાકાતની સંભાવનાઓ વધુ મજબૂત બની છે.

GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
China Iran Arms Supply Allegations શું ચીન ગુપચુપ ઈરાનને હથિયારો મોકલી રહ્યું છે? તેહરાનમાં લેન્ડ થયા ‘રહસ્યમય’ વિમાનો, વિશ્વમાં મચ્યો ખળભળાટ!
Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
Exit mobile version