Siddhivinayak Temple: મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની રેકોર્ડ કમાણી, વર્ષભરમાં ₹133 કરોડથી ભરાયો ખજાનો

Siddhivinayak Temple: સિદ્ધિવિનાયક મંદિરની આ વર્ષે સૌથી વધુ કમાણી, ₹133 કરોડ કમાણી થઈ છે.

by Zalak Parikh
Mumbai's Famous Siddhivinayak Temple Records Highest Annual Earnings of ₹133 Crore

News Continuous Bureau | Mumbai

Siddhivinayak Temple: મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે ગણેશ ચતુર્થી અને અન્ય પ્રસંગો પર બોલીવુડ સ્ટાર્સથી લઈને બિઝનેસમેન સુધી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર શ્રદ્ધાનો મોટો કેન્દ્ર છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ વર્ષે આ મંદિરે રેકોર્ડ કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરની ₹133 કરોડની રેકોર્ડ કમાણી થઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

 

ચાલુ વર્ષે સિદ્ધિ વિનાયક મંદિરે રેકોર્ડ કમાણી કરી છે. 

એક મિડિયા હાઉસમાં પબ્લિશ થયેલા રિપોર્ટ મુજબ, 2023-24 દરમિયાન ₹114 કરોડની કમાણી થઈ હતી, પરંતુ 2024-25માં 15% વધીને આ રકમ ₹133 કરોડ થઈ ગઈ. અનુમાન છે કે આગામી નાણાકીય વર્ષ 2025-26માં સિદ્ધિવિનાયક મંદિરની વાર્ષિક કમાણી વધીને ₹154 કરોડ થઈ શકે છે.

 

મંદિરના કમાણીના સ્ત્રોત

મંદિર પ્રશાસનનું કહેવું છે કે રોકડથી લઈને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને સોના-ચાંદી દ્વારા શ્રદ્ધાળુઓથી આ મંદિરે મોટી આવક થઈ છે. સાથે જ, ભક્તોની સતત વધતી સંખ્યા અને ઓનલાઇન ડોનેશન ઓપ્શનના કારણે આ આવક વધી છે. મંદિરને સોના-ચાંદીમાંથી ₹7 કરોડ દાન, દાનપેટીમાંથી પ્રાપ્ત રોકડ ₹98 કરોડ, અન્ય સ્ત્રોતો જેમ કે પૂજા બુકિંગ અને પ્રસાદમાંથી ₹10 કરોડ મળ્યા છે. દાનમાં મળેલા આ પૈસાનો ઉપયોગ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના રખાવ, સુરક્ષા, વિસ્તરણ કાર્યો સાથે જ શિક્ષા, ચિકિત્સા સુવિધા, ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણ યોજનાઓ પર કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : MHADA Housing : હજારો લોકોનું ઘર લેવાનું સપનુ સાકાર થશે. મ્હાડા દ્વારા મુંબઈ, પુણે, નાશિક અને અન્ય જિલ્લાઓમાં 19,497 ઘરોનું નિર્માણ

અન્ય ધાર્મિક સ્થળોની કમાણી

દર વર્ષે ગણેશ ચતુર્થી અને અન્ય પ્રસંગો પર બોલીવુડ સ્ટાર્સથી લઈને બિઝનેસમેન સુધી લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધિવિનાયક મંદિરે આવે છે. ભારતના અન્ય ધાર્મિક સ્થળોને પણ દાનમાં સેકડો કરોડ રૂપિયાની રકમ મળે છે. આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરની વાર્ષિક કમાણી લગભગ ₹1500 કરોડથી ₹1650 કરોડ સુધી છે, જે દાનમાં મળે છે. જ્યારે કેરળના પદ્મનાભસ્વામી મંદિરની કમાણી દર વર્ષે ₹750 કરોડથી ₹800 કરોડ સુધી છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More