Site icon

ઉભા હતા પહેલા અને થઈ ગયા છેલ્લા. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીમાં સૌથી છેલ્લા ક્રમ પર પહોંચ્યા.

ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આગાડીના મુખ્યમંત્રી હતા પરંતુ હવે તેઓ મહા વિકાસ આઘાડીમાં છેલ્લા અને ત્રીજા ક્રમ પર પહોંચી ગયા છે.

Today Onwards Uddhav Thakrey is not elected Shivsena President

મોટા સમાચાર : ઉદ્ધવ ઠાકરે હવેથી કાયદેસરના નહીં પરંતુ પાર્ટીના માનેલા પ્રમુખ. અધ્યક્ષ તરીકેની મુદત થઈ પૂરી.

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ પછી હવે એક વાત નક્કી થઈ ગઈ છે કે ઉદ્ધવ ઠાકરેના હાથથી શિવસેના નીકળી ગઈ છે. આ પરિસ્થિતિમાં શરદ પવારે પણ સલાહ આપી છે કે તેઓ નવી પાર્ટીની રચના કરે. જોકે શરદ પવારે આવું શા માટે કહ્યું તે પાછળનું કારણ હવે સામે આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

 શરદ પવારની  પાર્ટી  એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  હવે મહા વિકાસ આઘાડીમાં પહેલા ક્રમ પર આવી ગઈ છે.  તેમજ બીજી પાર્ટી કોંગ્રેસ છે અને સૌથી છેલ્લે ઉદ્ધવ ઠાકરેનો વારો આવે છે. આમ મુખ્યમંત્રી બન્યાના અઢી વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી છેલ્લા ક્રમની પાર્ટી બની ગઈ છે. 

છેલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સત્તા સ્થાપિત કરવા માટે મહાગઠબંધનની રચના કરી હતી. ઠાકરે સરકારના પતન પછી, મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીઓ અને સ્થાનિક સંસ્થાઓ અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મહાવિકાસ અઘાડીને ચાલુ રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

2019ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકરેની તત્કાલીન શિવસેના અને ભાજપે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે 164 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે ઉદ્ધવ ઠાકરેની પૂર્વ શિવસેનાએ 124 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના 105 ધારાસભ્યો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 56 ધારાસભ્યો ચૂંટાયા હતા. પરંતુ આ ચૂંટણી પરિણામ પછી, ઉદ્ધવ ઠાકરેની ભૂતપૂર્વ શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મહાવિકાસ અઘાડીમાં સરકાર બનાવી. જુલાઈ 2022 માં, શિવસેનાના નેતા એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો અને 12 સાંસદો સાથે સ્વતંત્ર જૂથ બનાવ્યું અને બાળાસાહેબની શિવસેના પાર્ટીની રચના કરી.

એ પછી બાળાસાહેબની શિવસેના પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સત્તા સ્થાપી અને બંને શિવસેના વચ્ચેના સત્તા સંઘર્ષની સુનાવણી અંતિમ તબક્કામાં હતી ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે ચુકાદો આપ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે અને આ પાર્ટીને જ ધનુષ અને તીરનું પ્રતીક આપવામાં આવ્યું છે. તેથી ઉદ્ધવ ઠાકરે પાસે હવે કોઈ પક્ષ નથી અને તેમણે નવી પાર્ટીની જાહેરાત કરવી પડશે.

અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે 56 ધારાસભ્યોના બળ પર મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી પણ 40 ધારાસભ્યોના વિદાય બાદ પણ મહાવિકાસ અઘાડીમાં તેમની પાર્ટીની સ્થિતિ ટોચ પર હતી. પરંતુ હવે કોઈ પક્ષ ન હોવાથી મહાવિકાસ અઘાડીમાં 54 ધારાસભ્યો સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રથમ નંબરે રહેશે. 44 ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી બીજા નંબર પર રહેશે. તેથી, આગામી નગરપાલિકાની ચૂંટણી તેમજ અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઠાકરે પાસે શિવસેના પક્ષ ન હોવાથી, એનસીપી અને કોંગ્રેસ તેમને જેટલી બેઠકો આપશે તેનાથી તેમને સંતોષ માનવો પડે તેવી શક્યતા છે. 

વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનમાં લડી હતી અને કોંગ્રેસે 147 બેઠકો અને એનસીપીએ 121 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના 44 ધારાસભ્યો ચૂંટાયા હતા જ્યારે NCP ના 54 ધારાસભ્યો ચૂંટાયા હતા. શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને 124 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 56 ધારાસભ્યો ચૂંટ્યા હતા. તેથી, જો આ જોડાણ વિધાનસભામાં થાય છે, તો કોંગ્રેસ અને એનસીપી વધુ બેઠકો લઈ શકે છે અને ઉદ્ધવ ઠાકરેની નવી પાર્ટીને માત્ર નજીવી બેઠકો આપી શકે છે.

SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના આ સહયોગી ની કરવામાં આવી ગોળી મારી હત્યા, અમેરિકાના રાજકીય વર્તુળમાં ખળભળાટ
Exit mobile version