ચારધામ યાત્રાની શરૂઆત એક ખરાબ સમાચાર સાથે. હેલિકોપ્ટરના પંખામાં આવી જતા સરકારી અધિકારીનું મોત

ગઢવાલ મંડલ વિકાસ નિગમ ના હેલિકોપ્ટર સાથે અકસ્માત સર્જાતા સરકારી અધિકારીનું મૃત્યુ.

by Dr. Mayur Parikh
Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

News Continuous Bureau | Mumbai

શ્રી કેદારનાથ ધામ ની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે યાત્રાના પ્રથમ દિવસે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ હેલિકોપ્ટરના પંખામાં માથું આવી જતા થયું છે. વાત એમ છે કે ઘડવાલ વિકાસ મંડળ લિમિટેડના હેલીપેડ પર બપોરે અકસ્માત સર્જાયો હતો. આ સમયે અમિત સૈની હેલીકોપ્ટરમાં બેસવા ગયા ત્યારે તેઓ ટેલ રોટરમાં આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં સૈનીના ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓનું મોત થયું હતું.

સૈની યુકાડામાં ફાઈનાન્સ કંટ્રોલર હતા

35 વર્ષિય અમિત સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુકાડા)માં ફાઈનાન્સ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા હતા અને કેદારનાથ યાત્રા શરૂ થયા પહેલા હેલિકોપ્ટર સેવાઓ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચેલી ટીમમાં સામેલ હતા.

હવે આ મૃત્યુ થવાને કારણે શ્રી કેદારનાથ ધામ યાત્રા પર વધારે ચાંપતી નજર રખાઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More