Pakistan Cricket: વર્લ્ડ કપ બાદ બાબર આઝમ કેપ્ટનશીપ છોડશે! PCB તરફથી મોટું અપડેટ..જાણો વિગતે અહીં..

Pakistan Cricket: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. સેમિફાઇનલ રમવાની તેની છેલ્લી આશા શનિવારે (11 નવેમ્બર) ઇંગ્લેન્ડ સામે ટોસ હારીને સમાપ્ત થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ હવે આ વર્લ્ડ કપમાં 9 મેચમાં માત્ર 4 જીત સાથે પોતાના દેશ પરત ફરી રહી છે.

by Dr. Mayur Parikh
Watch Shaheen destroys Haris' bat, sends stumps flying; wins battle vs Babar

News Continuous Bureau | Mumbai 

Pakistan Cricket: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. સેમિફાઇનલ રમવાની તેની છેલ્લી આશા શનિવારે (11 નવેમ્બર) ઇંગ્લેન્ડ સામે ટોસ હારીને સમાપ્ત થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ હવે આ વર્લ્ડ કપમાં 9 મેચમાં માત્ર 4 જીત સાથે પોતાના દેશ પરત ફરી રહી છે.

આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બે મેચ જીતીને સારી શરૂઆત કરી હતી પરંતુ ત્યાર બાદ તેની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જ્યારે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં બેક ટુ બેક મેચો હારવાનું શરૂ કર્યું, ત્યારે બાબરની કેપ્ટનશિપ ગુમાવવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે જ્યારે પાકિસ્તાની ટીમનો વર્લ્ડ કપ પ્રવાસ પૂરો થઈ ગયો છે, ત્યારે ફરી એકવાર સૌથી વધુ ચર્ચામાં રહેલી વાત ટીમના નેતૃત્વમાં ફેરફારની છે. આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સ્ત્રોત તરફથી પણ એક મોટું અપડેટ આવ્યું છે.

પીટીઆઈ સાથે વાત કરતા પીસીબીના એક સૂત્રએ કહ્યું, ‘બાબર આ મામલે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરી ચૂક્યો છે. મોટા ભાગના ખેલાડીઓએ તેમને પોતાની જાતે રાજીનામું ન આપવાની સલાહ આપી છે. વર્લ્ડકપ સેમીફાઈનલમાં નિષ્ફળ રહ્યા બાદ જો બાબર ટીમ સાથે સ્વદેશ પરત ફરે તો તેની સામે ચોક્કસપણે કાર્યવાહી થઈ શકે છે, પરંતુ તે પોતે સુકાની પદ છોડશે નહીં. બાબરની નજીકના એક સૂત્રએ પણ કહ્યું છે કે ‘તે કદાચ કેપ્ટન તરીકે ચાલુ રહેશે કે નહીં તેનો નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફ પર છોડી દેશે.

બાબર આઝમ સુકાની પદેથી રાજીનામું આપશે..

તમને જણાવી દઈએ કે બાબર આઝમની તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે ખૂબ સારી મિત્રતા છે. શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ, શાદાબ ખાન અને ઇમામ-ઉલ-હક હંમેશા તેને સપોર્ટ કરતા રહ્યા છે. ગત વખતે પણ જ્યારે બાબરની કેપ્ટનશીપ પર હુમલો થયો હતો ત્યારે કેટલાક સાથી ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ‘#સોચના ભી મના હૈ’ સાથે બાબરનું સમર્થન કર્યું હતું.

બાબરે 2019માં વર્લ્ડ કપ પછી પાકિસ્તાનની ODI ટીમની કમાન સંભાળી હતી. તેણે સરફરાઝ ખાનની જગ્યા લીધી હતી. આ પછી તેને વર્ષ 2021માં ટેસ્ટ કેપ્ટનશિપ પણ મળી હતી. T20 વર્લ્ડ કપ 2022માં તે પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ ગયો હતો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More