Site icon

PM Diwali Celebration: હિમાચલના લેપ્ચા પહોંચ્યા PM મોદી, જવાનો સાથે ઉજવી દિવાળી… જાણો પહેલા ક્યારે ક્યારે જવાનો સાથે મનાવી દિવાળી.. વાંચો વિગતે અહીં..

HL - PM Diwali Celebration: દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા સરહદ પર પહોંચે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે..

Ahmedabad Medical College To Be Renamed Narendra Modi Medical College

અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે

News Continuous Bureau | Mumbai 

PM Diwali Celebration: દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા સરહદ પર પહોંચે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા (Lepcha) પહોંચ્યા છે. 2014થી દરેક વખતે વડાપ્રધાન દેશના જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા પહોંચી રહ્યા છે.

Join Our WhatsApp Community

2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે સિયાચીન ગ્લેશિયર ગયા હતા. વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી, 2016 માં, પીએમએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી, 2017 માં, વડા પ્રધાને કાશ્મીરના ગુરેઝમાં, 2018 માં ઉત્તરાખંડના કેદારનાથમાં અને 2019 માં જમ્મુ વિભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

 

PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી…

2020માં પીએમ મોદીએ રાજસ્થાનના જેસલમેરમાં દિવાળીની ઉજવણી કરી હતી, 2021માં પીએમ નરેન્દ્ર મોદીએ રાજૌરી જિલ્લાના નૌશહરામાં અને 2022માં કારગીલમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતુ કે, “દેશમાં તમારા પરિવારના તમામ સભ્યોને દિવાળીની શુભકામનાઓ. આ ખાસ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”

Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
Exit mobile version