ઠાકરે જૂથને મળી મોટી રાહત -આખરે 100 દિવસ પછી શિવસેનાના આ નેતા આવશે જેલ ની બહાર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.  

શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.

બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More