Site icon

અદાણી કંપનીમાં કોના 20 હજાર કરોડનું રોકાણ? સાંસદ પદ રદ થયા બાદ રાહુલ ગાંધીનો સવાલ

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે, 'બધા ચોરોનું અંતિમ નામ મોદી કેવી રીતે છે?' ગુરુવારે, ગુજરાતની સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને સમાન નિવેદન માટે 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ શુક્રવારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની ઉમેદવારી રદ્દ કરી દીધી. લોકસભા સચિવાલયના નિર્ણય બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને સવાલ ઉઠાવ્યા. અદાણી કંપનીમાં કોના 20 હજાર કરોડનું રોકાણ?, રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો.

Rahul Gandhi: Rahul Gandhi to contest from Amethi in 2024, claims UP Congress chief

Rahul Gandhi: થઇ ગયું નક્કી? રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કરી જાહેરાત..

News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધીએ શું કહ્યું?

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાહુલ ગાંધીએ અદાણી કંપની અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અદાણી એક શેલ કંપની છે. કોઈએ તેમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પૈસા અદાણીના નથી, બીજા કોઈના છે. તો સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? મેં સંસદમાં પુરાવા દીધા અને મીડિયા રિપોર્ટ્સ રજૂ કર્યા. મેં અદાણી અને મોદીના સંબંધો વિશે વિગતવાર વાત કરી. આ સંબંધો નવા નથી, જૂના છે. મેં આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.’

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈ નગરપાલિકામાં 12,000 કરોડની ગેરરીતિ; CAG રિપોર્ટના તારણો

આગળ રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું કોઈ વાતથી ડરતો નથી. તમે મને જેલમાં નાખીને મને ડરાવી શકતા નથી, આ મારો ઇતિહાસ નથી. હું ભારત માટે લડતો રહીશ. મને સંસદમાં બોલવા દેવામાં આવ્યો ન હતો. મેં સંસદના અધ્યક્ષને પણ આવો જ પત્ર લખ્યો હતો, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. મારું ભાષણ સંસદમાંથી હટાવી દેવામાં આવ્યું. પણ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહિ કરું.’

“મેં પહેલાં કહ્યું છે કે તમામ સમાજ એક છે, બધાએ સાથે ચાલવું જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, બધામાં પ્રેમ હોવો જોઈએ, નફરત ન હોવી જોઈએ, હિંસા ન હોવી જોઈએ. આ ઓબીસીનો મામલો નથી, પણ મોદી-અદાણી સંબંધોનો મામલો છે. મારે ફક્ત આનો જવાબ જોઈએ છે, અદાણી પાસે 20 હજાર કરોડ ક્યાંથી આવ્યા?’, રાહુલે કહ્યું.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version