Site icon

UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત

કતારમાં પણ હવે યુપીઆઈ (UPI) દ્વારા સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે દોહાના લુલુ હાઇપરમાર્કેટમાં તેને લોન્ચ કર્યું અને ભારત-કતાર વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા પર ભાર મૂક્યો

UPI UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર

UPI UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર

News Continuous Bureau | Mumbai
UPI Launch ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ (UPI) નો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે. હવે તેનો ઉપયોગ કરનારા દેશોની યાદીમાં કતારનો પણ સમાવેશ થયો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજધાની દોહાના લુલુ મોલમાં યુપીઆઈ સિસ્ટમ લોન્ચ કરી. એટલે કે હવે ત્યાં સરળતાથી ક્યૂઆર કોડ (QR Code) દ્વારા પેમેન્ટ કરી શકાય છે. આ લોન્ચના અવસરે તેમણે કહ્યું કે યુપીઆઈ માત્ર ડિજિટલ પેમેન્ટની એક રીત નથી, પરંતુ તે ભારતીય ઇનોવેશન અને ટેકનિકની તાકાતનું પ્રતીક પણ છે.

ભારત-કતારની વધતી ભાગીદારીનું પ્રતીક

બે દિવસીય કતાર પ્રવાસ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ત્યાં યુપીઆઈ સિસ્ટમ લોન્ચ કરી. તેમણે કહ્યું કે કતારમાં UPI દ્વારા પેમેન્ટ ભારતની ટેક્નોલોજી અને બંને દેશોની વધતી ભાગીદારીનું ઉદાહરણ છે. આ સાથે તે બંને દેશો વચ્ચેના વિશ્વાસને પણ દર્શાવે છે. તેમણે યુપીઆઈના વધતા વ્યાપ વિશે વાત કરતાં કહ્યું કે આજે ભારતમાં જ્યાં 85% ડિજિટલ પેમેન્ટ આ સિસ્ટમ દ્વારા થાય છે, તો વિશ્વભરમાં લગભગ 50% ડિજિટલ પેમેન્ટ પણ યુપીઆઈથી થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

ભારતીય પ્રવાસીઓને રાહત

કતાર નેશનલ બેંક (QNB) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે ભાગીદારીમાં તેના મર્ચન્ટ ગ્રાહકો માટે પોઇન્ટ-ઓફ-સેલ ટર્મિનલો પર ક્યૂઆર કોડ-આધારિત યુપીઆઈ પેમેન્ટની સેવા શરૂ કરી છે. કતારમાં LuLu આઉટલેટ્સ પર હવે ભારતીય પેમેન્ટ સિસ્ટમ દ્વારા લેવડ-દેવડ સ્વીકારવામાં આવતી હોવાથી, ભારતમાંથી આવતા પ્રવાસીઓ કતારમાં પણ સરળ અને વધુ અનુકૂળ ડિજિટલ પેમેન્ટનો આનંદ લઈ શકે છે, જેનાથી રોકડ રાખવાની કે ચલણ વિનિમયનું સંચાલન કરવાની જરૂરિયાત ઓછી થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં Appleના AirPods Pro 2 પર મોટું ડિસ્કાઉન્ટ, જાણો તેના ફીચર્સ અને શું છે ડીલ

દ્વિપક્ષીય વેપાર સંબંધો વધારવા પર ભાર

મીડિયા રિપોર્ટ મુજબ, દોહામાં યુપીઆઈ લોન્ચ કરવાની સાથે જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે કતારના વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈસલ બિન થાની બિન ફૈસલ અલ થાની સાથે એક બેઠક પણ કરી. તેમાં આર્થિક અને વાણિજ્યિક સહયોગ પર વાતચીત કરવામાં આવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આનાથી જોડાયેલી જાણકારી શેર કરતાં પીયૂષ ગોયલે જણાવ્યું, ‘બંને પક્ષોએ મજબૂત દ્વિપક્ષીય વેપારના આધાર પર ભારત-કતાર ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી.’

Donald Trump: ‘જો હું ટેરિફ ન લગાવતો તો…’, ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો આવો દાવો
China: ચીને F-35 ને ટક્કર આપવા માટે તૈયાર કર્યું J-20A ‘માઇટી ડ્રેગન’, જાણો કેટલું છે ખતરનાક
Pakistan: ભારત માટે પડકાર બની રહ્યું છે પાકિસ્તાનનું નવું ગઠબંધન, જાણો કેવી રીતે
Mumbai Water Cut: મુંબઈવાસીઓ માટે જરૂરી સમાચાર: ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ૧૦% પાણીકાપ
Exit mobile version