IRCTC 7 Jyotirlinga Tour Package: સાત જ્યોતિર્લિંગના એક સાથે દર્શન, IRCTC એ લોન્ચ કર્યું આ અદ્ભુત પેકેજ

IRCTC 7 Jyotirlinga Tour Package: IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગ દર્શન માટે એક ખાસ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ પેકેજની કિંમત શું હશે અને તેમાં કઈ કઈ સુવિધાઓ મળશે.

by Zalak Parikh
Visit Seven Jyotirlingas Together, IRCTC Launches an Amazing Package

News Continuous Bureau | Mumbai

IRCTC 7 Jyotirlinga Tour Package: હિંદુ ધર્મમાં ઘણા પવિત્ર ધાર્મિક સ્થળો છે, જેમનું આસ્થા અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ છે. જેમ કે અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા અને વૈષ્ણો દેવીની યાત્રાનું મહત્વ છે. એટલું જ મહત્વ જ્યોતિર્લિંગના દર્શનનું છે. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે, જે દેશના 8 રાજ્યોમાં છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતિર્લિંગના દર્શન માટે જાય છે. દરેક લોકોની એક ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં આ તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે.

આ સમાચાર પર વાંચો: IRCTC Jain Yatra : રેલ્વે ભારત ગૌરવ એસી પ્રવાસી ટ્રેન દ્વારા “જૈન યાત્રા”નું કરશે સંચાલન, ટ્રેનમાં કુલ 750 પ્રવાસીઓ કરશે મુસાફરી.

IRCTCના આ ટૂર પેકેજમાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન

જો તમારી પણ આ જ ઈચ્છા છે, તો પછી IRCTCનું આ ટૂર પેકેજ તમારી ઈચ્છા પૂરી કરવામાં તમારી મદદ કરશે. IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગના દર્શન માટે એક ખાસ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે. આમાં તમને ઉજ્જૈન, ગુજરાત, નાશિક, પુણે અને ઔરંગાબાદના જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે. ભારતીય રેલવે દ્વારા IRCTCના આ ટૂર પેકેજ માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવશે, જેનું નામ છે ભારત ગૌરવ યાત્રા ટ્રેન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More