514
Join Our WhatsApp Channel
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
મનસુખ હિરણ હત્યાકાંડ મામલામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ આરોપોની હારમાળા લગાડી દીધી. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બેકફૂટ પર છે. આજે મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી હતી કે વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝે ની બદલી કરવામાં આવશે. તેને ક્રાઈમ બ્રાન્ચ માંથી કાઢી નાખવામાં આવશે.
આ સમયે વિપક્ષ નેતા પ્રવીણ કરે આ વિવાદે જ પોલીસ અધિકારીની ધરપકડ કરવાની માગણી કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ કહ્યું કે સરકારી નિયમ અનુસાર પોલીસ અધિકારીઓ પર પગલા લેવામાં આવશે.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે મનસુખ હિરણ હત્યાકાંડમાં પોલીસ અધિકારી ઉપર કોઈ કડક અને ત્વરિત પગલાં નથી લેવામાં આવ્યા.
You Might Be Interested In
