416
Join Our WhatsApp Channel
હૈદરાબાદના નહેરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટીક સિંહો કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુના અહેવાલ મુજબ અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે.
આરટી-પીસીઆર તપાસમાં આ સિંહ પોઝિટીવ આવ્યા છે. જો કે, સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટર (સીસીએમબી) એ નમૂનાના પોઝિટીવની હજી પુષ્ટિ કરી નથી.
24 એપ્રિલે પ્રાણીસંગ્રહાલયોએ આ સિંહોમાં શુષ્ક ઉધરસ, વહેતું નાક, ભૂખ વેદના લક્ષણો જોયા હતા
હાલમાં, એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાંનું એક, નહેરુ પ્રાણીસંગ્રહ ઉદ્યાન, મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ઝૂના બે ડઝનથી વધુ સ્ટાફને કોરોના ચેપ લાગ્યો હતો.
You Might Be Interested In